બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર ફેન્સની સાથે સેલેબ્સ પણ તેને અભિનંદન આપી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીના કિંગ ખાનના જન્મદિવસ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના ઘર મન્નતની બહાર અડધી રાત્રે ચાહકોની ભીડ એકઠી થઈ હતી અને ચાહકો તેમના સુપરસ્ટારની એક ઝલક મેળવવા માટે બેતાબ હતા.
શાહરૂખ ખાન 58 વર્ષનો થઈ ગયો છે. 1965માં દિલ્હીમાં જન્મેલા શાહરૂખના જન્મદિવસની ઉજવણી બુધવારે રાતથી જ શરૂ થઈ ગઈ હતી. મધરાત સુધીમાં હજારો ચાહકો તેના બંગલાની બહાર એકઠા થઈ ગયા હતા. ફેન્સનો પ્રેમ જોઈને શાહરૂખ પોતાની જાતને રોકી શક્યો નહીં અને તેણે પોતાના બંગલાની બાલ્કનીમાં આવીને ફેન્સનો આભાર માન્યો.
આ અવસર પર શાહરૂખે પણ પોતાનો સિગ્નેચર પોઝ આપીને ચાહકોની ખુશી બમણી કરી હતી. આ દરમિયાન તે બ્લેક ટી-શર્ટ, કેપ અને ગોગલ્સ પહેરેલો જોવા મળ્યો હતો. પુત્રી સુહાનાએ ઇન્સ્ટા સ્ટોરી પર તેના બાળપણના ફોટા શેર કરીને શાહરૂખને શુભેચ્છા પાઠવી હતી. ફોટો શેર કરીને લખ્યું- હું તને સૌથી વધુ પ્રેમ કરું છું.
દિવાળી જેવો માહોલ સર્જાયો
શાહરૂખ ખાનને જોઈને ફેન્સ પાગલ થઈ રહ્યા છે. તેના જન્મદિવસ પર વિવિધ શહેરોમાંથી ચાહકો તેને પોતપોતાની રીતે શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. કોઈ તેમના બંગલાની બહાર મિઠાઈ, કોઈ ગિફ્ટ અને કોઈ ટી-શર્ટ અને મોટા પોસ્ટર લઈને ઊભેલા જોવા મળ્યા. આટલું જ નહીં, અડધી રાત્રે શાહરૂખના ઘરની બહાર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા, જેનાથી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
અહી એવી કેટલીક વાતો કે જેનાથી અભિનેતા સતત વિવાદમાં રહ્યા
વર્ષ 2009માં ઓગસ્ટ મહિનામાં શાહરૂખ ખાનને ન્યૂજર્સી એરપોર્ટ પર તેની અટક 'ખાન' હોવાથી રોકી દેવામાં આવ્યો હતો. શાહરૂખ ત્યા સાઉથ એશિયન ઈવેન્ટમાં સામેલ થવાના હતા, જ્યા તેઓ ગેસ્ટ ઓફ ઓનર હતા. કોંગ્રેસના સાંસદ રાજીવ શુકલાની યુએસના અધિકારીઓ સાથેની વાતચીત બાદ તેમને છોડવામાં આવ્યા હતા. શાહરૂખ ખાનને ત્યારબાદ ફરી ન્યૂયોર્કમાં ઈમિગ્રેશન અધિકારીઓએ અટકાવી દીધો હતો.
ફરાહ ખાનના પતિને માર્યો લાફો:
આમ તો શાહરૂખ ખાન અને ડિરેકટર ફરાહ ખાન વર્ષોથી ખૂબ સારા મિત્રો છે. વર્ષો પહેલા એક એવી ઘટના બની જેને મીડિયા ઈન્ડસ્ટ્રીમાં બધાને ચકિત કરી દીધા. સંજય દત્તે તેની અગ્નિપથની સક્સેસ પાર્ટી આપી હતી, જ્યા ફરાહ ખાનના પતિ શિરીષ કુંદરે કોઈ વિવાદિત ટીપ્પણી કરી જેના કારણે શાહરૂખ ખાન ઉશકેરાયા હતા અને તેને લાફો મારી દીધો હતો. ત્યારબાદ લાંબો સમય શાહરૂખ-ફરાહ ખાન વચ્ચે અબોલા રહ્યા.
ડ્રગ્સ કેસના કારણે સૌથી વધારે ચર્ચામાં રહ્યો
શાહરૂખ ખાન હાલ તેના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસના કારણે સૌથી વધારે ચર્ચામાં રહ્યો. શાહરૂખ ખાનના પુત્ર પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો જે અંતર્ગત આર્યન 28 દિવસ જેલમાં રહ્યો હતો, આ ઘટનાના કારણે શાહરૂખ ખાન અને તેના પુત્રની મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ઘણી ટીકા થઈ.
વાનખેડે સ્ટેડિયમમાં શાહરૂખ પર પ્રતિબંધ
મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના અધિકારીઓએ કોલકત્તા નાઈટ રાઈડર્સના સહમાલિક શાહરૂખ ખાન સામે ફરિયાદ નોંધાવી હતી. શાહરૂખ ખાન પર MCAના સુરક્ષાકર્મીઓ સાથે ગેરરવર્તણૂક કરવાના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ વાનખેડે સ્ટેડિયમમાં શાહરૂખ ખાનની એન્ટ્રી પર બેન લગાવી દેવામાં આવ્યો હતો જે પછી હટાવી દેવામાં આવ્યો હતો.
ત્રીજા પુત્ર માટે સરોગસીને લઈ વિવાદમાં આવ્યા
જ્યારે સમાચાર આવ્યા કે શાહરૂખ ખાન અને ગૌરી ખાન પોતાના ત્રીજા સંતાન માટે સરોગસીનો સહારો લઈ રહ્યા છે. બંને પર આરોપ લાગ્યા કે તેઓએ જાતિ પરિક્ષણ ટેસ્ટ કરાવ્યો છે. આ બાબતે મહારાષ્ટ્ર સરકારે તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ બંનેને ક્લિનચીટ અપાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech