૧૫મી ઓગસ્ટ- સ્વતંત્રતા દિવસના રોજ ભાવનગર જિલ્લામાં અવાણીયા ગામ ખાતે આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત, ભાવનગર તાબા હેઠળના ડિસ્ટ્રીક્ટ વેક્સિન સ્ટોરનો ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમારોહ કાર્યક્રમમાં આમંત્રીત મહાનુભાવો તથા અધિકારીઓનું પુષ્પ દ્વારા સ્વાગત કરાયું હતું. ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન રૈયાણીની પ્રેરણાદાયી વિશેષ ઉપસ્થીતીમાં ડિસ્ટ્રીક્ટ વેક્સિન સ્ટોરનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવ્યું હતું.
આર.સી.એચ. અધિકારી ડો. કોકીલાબેન સોલંકી દ્વારા ઉપસ્થીત મહેમાનઓને ડિસ્ટ્રીક્ટ વેક્સિન સ્ટોર ખાતે ઉપલબ્ધ તમામ સુવિધા વિષે માહિતીગાર કરવામાં આવ્યા હતા. આ ઉદ્ઘાટનની સાથે મહાનુભાવઓ તથા અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. આ ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમમાં આરોગ્ય સમિતીના ચેરમેન અશોકભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયતના સદસ્યઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી-જિ.પં. ભાવનગર, અવાણીયા ગામના સરપંચ અને આરોગ્યના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ સાથે ભાવનગર જિલ્લાના મહુવા ખાતે મહુવા શહેરની આરોગ્ય સેવા વધુ પ્રબળ બનાવવા અને લોકોની સુખાકારીને અનુલક્ષીને શહેરી આરોગ્ય કેન્દ્ર-૩નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ ઉદ્ઘાટનમાં આગેવાન આર. સી. મકવાણાના હસ્તે મહુવા ખાતે શહેરી આરોગ્ય કેન્દ્ર-૩ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, મહુવા નગરપાલીકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા, મહુવા નાગરિક બેંકના પ્રમુખ બિપીનભાઈ સંઘવી, એ.પી.એમ.સી.- મહુવાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહુવા શહેરના પ્રમુખ રજનીભાઈ ઠાકર, ઈન્ડયન મેડીકલ અસોસીયેશન- ગુજરાત રાજ્યના પૂર્વ ઉપપ્રમુખ ડો. જયેશભાઈ શેઠ, મહુવાના પ્રાંત અધિકારી ઈશીતાબેન મેર, મહુવાના મામલતદાર જે.સી. મહેતા, મહુવા નગરપાલીકાના ચિફ ઓફિસર નિલકંઠભાઈ અણઘણ, તાલુકા હેલ્થ ઓફિસર-મહુવા ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેન્જામિન નેતન્યાહુએ ખામેનીની ધમકી પર કહ્યું, હુમલાનો જવાબ આપવો એ અમારો અધિકાર...
October 06, 2024 11:00 AMમુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગતા, એક જ પરિવારના 7 લોકોના મોત
October 06, 2024 10:41 AMમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech