જામનગર શહેરમાં આરોગ્ય શાખા દ્વારા કૃમિનાશક ગોળીનું શાળા-આંગણવાડીમાં વિતરણ

  • February 20, 2024 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં આજે સોમવારે રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શહેરની તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોને કૃમિનાશક દવા આપવામાં આવી હતી.


આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને કૃમિરોગથી બચાવવા અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે.આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલીકા, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ આશા અને આંગણવાડી કાર્યકરોએ ભાગ લીધો હતો.


કાર્યક્રમ દરમિયાન બાળકોને કૃમિરોગ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ તેમને સ્વચ્છતા જાળવવાની આદત કેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમની મુખ્ય ઝલક મા શહેર ની ૩૦૬ જેટલી શાળાઓ અને ૩૦૦ થી વધુ આંગણવાડીઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.અને આશરે ૧૪,૦૭૫ જેટલા બાળકો ને કૃમિનાશક દવા આપવામાં આવી હતી.બાળકોને કૃમિરોગ વિશે માહિતી આપવામાં આવી હતી.

વાલીઓને પણ તેમના બાળકોને કૃમિનાશક દવા આપવા અને સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, "કૃમિરોગ એ બાળકોમાં થતો સામાન્ય રોગ છે. આ રોગથી બાળકોનું સ્વાસ્થ્ય બગડે છે અને તેમનો શારીરિક અને માનસિક વિકાસ અવરોધાય છે. રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી દ્વારા આપણે બાળકોને આ રોગથી બચાવી શકીએ છીએ અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકીએ છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application