કોળીયાક લોકમેળામાં ભાવનગર જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા રોગ અટકાયતી પગલાં

  • September 04, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરના કોળીયાક ગામે ભાદરવી અમાસના મેળા નું આયોજન થાય છે આ મેળામાં લોકોને આરોગ્ય વિશે એક માહિતી મળે જન જાગૃતિ થાય તેમ જ ઓપીડીની કામગીરી થાય જેથી મુશ્કેલી વાળા તમામને દવા મળી રહે સલાહ મળી રહે અને સતત ક્લોરીનેશન કામગીરી કરી અને પાણી જઈને રોગો અટકાવવાની કામગીરી જિલ્લા આરોગ્યંત્ર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણીપ્રસાદ એપેડેમિક ઑફિસર ડો ચંદ્રકાન્ત ભાઈ કણઝરીયાના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જીતુભાઈ પરમાર ની સીધી દેખરેખ હેઠળ ભાવનગર અને ઘોઘા તાલુકા ના ડોકટરો સુપરવાઈઝરી સ્ટાફ આરોગ્ય કર્મચારીઓ આર્ બી એસ કે અબ્યુલેન્સ સ્ટાફ ખડે પગે સેવા બજાવી હતી.
આરોગ્ય લક્ષી પ્રદર્શન યોજેલ જેમાં આરોગ્યના કાર્યક્રમો અને મચ્છર ઉત્પતિ અટકાવતી ગપ્પી માછલી ફોગિગ મશીન વિષે લોકો ને માહિતગાર કરાયા હતા અને આજુબાજુ ના તમાંમ પાણીના ટાંકા ,કૂવામાં સતત કલોરીનેશન કામગીરી થી ઝાડા ઉલટી ટાઈફોડ કમળો રોગ અટકાયતી કરાઈ હતી  ઓ પી ડી કામગીરી માં મૂશ્કેલી વાળા ને દવા આપી સલાહ અપાઈ હતિ આમ તમામ ટીમ દ્વારા સુઁદર આરોગ્ય સેવા આપાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application