અંબાજીના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે તા.૧૫થી ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો દિવ્ય દરબાર

  • October 09, 2023 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અંબાજીના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે તા.૧૫થી ધીરેન્દ્ર શાક્રીજીનો દિવ્ય દરબાર યોજાશે.સનાતન ધર્મના પ્રખર હિમાયતી અને વિશ્વવિખ્યાત બાગેશ્વર બાબાનો નવરાત્રીના પ્રારભં સાથે ત્રિદિવસીય યોજાશે દિવ્ય દરબાર,ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ કોટક યજમાન તરીકે લાભ લેશે, તડામાર તૈયારીઓ શ થઈ ગઈ છે.

ધીરેન્દ્ર શાક્રીજીનો આ દિવ્ય દરબાર યોજવા અંગેનો યજમાન તરીકેનો લાભ મળ્યો છે. દેશના ૫૧ શકિતપીઠ પૈકી અતિ મહત્વના અંબાજીપીઠ ખાતે વિશ્વવિખ્યાત બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ગાદીપતિ પંડિત ધીરેન્દ્ર શાક્રીજીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં નવરાત્રીના શુભારંભે તારીખ ૧૫, ૧૬, ૧૭ ઓકટોબર ૨૦૨૩ના રોજ દૈનિક સાંજે ૪.૦૦ વાગ્યાથી બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ગાદીપતિ પંડિત ધીરેન્દ્ર શાક્રીજીનું ત્રિ–દિવસીય કથા સત્સગં તથા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાક્રીજીના દિવ્ય દરબારનો શુભારભં ૧૫ ઓકટોબરના રોજ સાંજના ૪ વાગ્યે કરવામાં આવશે.


નવરાત્રિના પવિત્ર દિવસોમાં અંબાજી ખાતે યોજાનાર આ દિવ્ય દરબારનો દરરોજ ૨ થી ૩લાખ લોકો લાભ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ કોટક અને ઇસ્કોન ગ્રુપના મેનેજિંગ ડિરેકટર જયેશભાઈ કોટકે નવરાત્રિના શુભારંભે બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર શાક્રીજીના ત્રિ–દિવસીય કથા સત્સગં તથા દિવ્ય દરબારમાં સૌને પધારવા અનુરોધ કર્યેા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application