અંબાજીના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે તા.૧૫થી ધીરેન્દ્ર શાક્રીજીનો દિવ્ય દરબાર યોજાશે.સનાતન ધર્મના પ્રખર હિમાયતી અને વિશ્વવિખ્યાત બાગેશ્વર બાબાનો નવરાત્રીના પ્રારભં સાથે ત્રિદિવસીય યોજાશે દિવ્ય દરબાર,ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ કોટક યજમાન તરીકે લાભ લેશે, તડામાર તૈયારીઓ શ થઈ ગઈ છે.
ધીરેન્દ્ર શાક્રીજીનો આ દિવ્ય દરબાર યોજવા અંગેનો યજમાન તરીકેનો લાભ મળ્યો છે. દેશના ૫૧ શકિતપીઠ પૈકી અતિ મહત્વના અંબાજીપીઠ ખાતે વિશ્વવિખ્યાત બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ગાદીપતિ પંડિત ધીરેન્દ્ર શાક્રીજીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં નવરાત્રીના શુભારંભે તારીખ ૧૫, ૧૬, ૧૭ ઓકટોબર ૨૦૨૩ના રોજ દૈનિક સાંજે ૪.૦૦ વાગ્યાથી બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ગાદીપતિ પંડિત ધીરેન્દ્ર શાક્રીજીનું ત્રિ–દિવસીય કથા સત્સગં તથા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાક્રીજીના દિવ્ય દરબારનો શુભારભં ૧૫ ઓકટોબરના રોજ સાંજના ૪ વાગ્યે કરવામાં આવશે.
નવરાત્રિના પવિત્ર દિવસોમાં અંબાજી ખાતે યોજાનાર આ દિવ્ય દરબારનો દરરોજ ૨ થી ૩લાખ લોકો લાભ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ કોટક અને ઇસ્કોન ગ્રુપના મેનેજિંગ ડિરેકટર જયેશભાઈ કોટકે નવરાત્રિના શુભારંભે બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર શાક્રીજીના ત્રિ–દિવસીય કથા સત્સગં તથા દિવ્ય દરબારમાં સૌને પધારવા અનુરોધ કર્યેા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AM4 સાથીઓના મોત બાદ આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર કર્યો હુમલો, એક જવાન ઘાયલ
July 07, 2024 10:43 AMસુરતમાં મોટી દુર્ઘટના, 6 માળની ઇમારત પડી, 7 લોકોના મોત
July 07, 2024 08:51 AMરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech