'13માંની તૈયારીઓ કરી લો' બાગેશ્વર સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી ખુલ્લી ધમકી

  • January 24, 2023 11:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં વિવાદોમાં છે. તેના પર આરોપ છે કે તે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે અને પોતાને ચમત્કારી ગણાવે છે. તેની સામે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. હવે ધીરેન્દ્ર શાસ્ત્રીના સંબંધી લોકેશ ગર્ગને ધમકીઓ મળી છે. લોકેશ ગર્ગે મધ્યપ્રદેશના છતરપુરમાં ધમકીઓ મળવાની ફરિયાદ નોંધાવી છે. લોકેશ ગર્ગ સંબંધમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પિતરાઈ ભાઈ લાગે છે.

મળતી માહિતી મુજબ અમર સિંહ નામના વ્યક્તિએ તેમને ફોન પર ધમકી આપી છે. એક અજાણ્યા વ્યક્તિએ લોકેશને ફોન પર કહ્યું કે, તારા પરિવારના સભ્યો 13મીની તૈયારીઓ કરી લે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
​​​​​​​

લોકેશ ગર્ગને ધમકી મળતા જ તેણે સીધો પોલીસનો સંપર્ક કર્યો અને એફઆઈઆર નોંધી. અહેવાલો અનુસાર, મધ્યપ્રદેશના છતરપુરની બમિથા પોલીસે આ મામલે કલમ 506 અને 507 હેઠળ એફઆઈઆર નોંધી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદોમાં છે

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં કથિત રીતે અંધશ્રદ્ધા ફેલાવવાના કારણે વિવાદમાં છે. આ સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની તર્જ પર નવો નારો આપ્યો છે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, સુભાષચંદ્ર બોઝે સૂત્ર આપ્યું હતું કે તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ, આજે હું સૂત્ર આપું છું કે "તમે મારો સાથ આપો હું હિંદુ રાષ્ટ્ર બનાવશો." આજે આપણે જાહેર કરીએ છીએ કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application