જમનાકુંડ અને શિશુવિહારમાં દબાણ હટાવ સેલના ધામા

  • September 06, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમે બુધવારે ટોપથ્રી સર્કલ નજીકના જવાહરનગરમાં આવેલા મહાપાલિકા દ્વારા ટાઉન પ્લાનિંગ યોજના હેઠળ અનામત રાખવા એમ આવેલી જમીન પરના ગેરકાયદેસર દબાણો હટાવી કરોડોની કિંમતની જમીન પર કબ્જો લેવાયા બાદ ગઈકાલે એક દિવસના વિરામ પછી આજે શહેરના સૌથી ગીચ જમનાકુંડ વિસ્તારમાં વીજ કચેરી આજુબાજુ ખડકાયેલા નાના-મોટા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત શિશુવિહારમાં પણ ખડકાયેલા દબાણો હટાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી જાહેર રોડ સહિતની જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો થયા હોવાની અગાઉ કરવામાં આવેલી રજુઆતો બાદ મહાપાલિકા તંત્ર દ્વારા દબાણો હટાવયા હતા. પરંતુ સ્થાનિક વિસ્તાર માં પુન: દબાણો ઉભા થતા એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા આજે આ તમામ દબાણો સામે કાર્યવાહી શરૂ કરતા સ્થાનિકોમાં રાહત ફેલાઈ છે. તો તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ભાવનગરને દબાણ મુક્ત કરવા માટે અભિયાન શરૂ કરનાર મ્યુ. કમિશ્નર ઉપાધ્યાયની ગાંધીનગર બદલી કરી તેમના સ્થાને મુકાયેલા  સુજીતકુમારે જારી રાખેલું અભિયાન ધીરે ધીરે વેગવંતુ રાખ્યું હોય શહેરમાં હજુ પણ ગેરકાયદેસર દબાણો હોય આગામી સમયમાં આ તમામ દબાણો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશ્નર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application