કૃષિ મંત્રીના હસ્તે રૂ.૭.૨૫ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું

  • November 20, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવાનાગના અને જુનાનાગના વચ્ચે ૧૮ મીટર લાંબો બ્રિજ બંધાશે: રાઘવજી પટેલ

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના અને જોડીયા તાલુકાના વિવિધ ગામોને જોડતા રોડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૨.૨૫ કરોડના ખર્ચે જામનગર તાલુકાના નવા નાગના અને જુના નાગના ગામોની વચ્ચે ૧૮ મીટર લાંબા મેજર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.
તેમજ, રૂ. ૫ કરોડના ખર્ચે જોડીયા તાલુકાના વાવ બેરાજા અને ચંદ્રગઢ ગામોને જોડતા ૮ કી.મી. લાંબા પાકા સી.સી. રોડની સાથે રસ્તાનું મેટલ કામ, માટી કામ અને રોડ ફર્નિશિગના વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવશે. કાર્યક્રમમાં કૃષિમંત્રીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વાવ બેરાજાથી ચંદ્રગઢ ગામોને જોડતો નવો પાકો રસ્તો બનશે, જેથી ગ્રામ્યવિસ્તારોમાં સવલત વધશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવા તમામ રસ્તાઓનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમમાં, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર અને બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર છૈયાભાઈએ આપી હતી. ઉક્ત સમારોહમાં, સામાજિક અગ્રણીઓ ગલાભાઈ ગરસર, કુમારપાળસિંહ રાણા, હસુભાઈ કણજારીયા, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application