ચીન તરફી સેનાધ્યક્ષ જન. ઝમાનને બાંગ્લાદેશનાં લશ્કરના વડા તરીકે નિયુકત કરતાં પૂર્વે ભારતે શેખ હસીનાને ચેતવ્યાં હતાં. પરંતુ તે ચેતવણી ઉપર ધ્યાન નહીં આપવાને લીધે આખરે તેઓને દેશ છોડવો પડયો. જનરલ વકાર–ઉસ–ઝમાનને જૂન ૨૦૨૩માં શેખ હસીનાએ લશ્કરના વડા તરીકે નિયુકત કરાવ્યા હતા. તે જ તેઓનાં પતનનું કારણ બન્યા.
ચીન સાથે ઘરોબો રાખતા જન. વકાર ઉલ ઝમાનને ૨૩ જૂન ૨૦૨૩ના દિને શેખ હસીનાએ દેશના સેનાધ્યક્ષ પદે નિયુકત કરાવ્યા ત્યારે જ ભારતે હસીનાને ચેતવ્યાં હતાં. આ લશ્કરી અધિકારીએ જ ધીમે ધીમે શેખ હસીના વિદ્ધ વિષ ફેલાવવું શ કયુ અને વિધાર્થીઓ તથા યુવાનોને હાથમાં લઇ જે વ્યાપક રમખાણો કરાવ્યાં તેથી તેઓને અને તેમનાં બહેનને દેશ છોડી નાસી જવું પડયું.
આ સાથે તે લશ્કરી જુંટાએ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)નાં નેતા અને બાંગ્લાદેશના પૂર્વ લશ્કરી વડા જન. ડિકયા ઉલ હક્કનાં વિધવા ખાલીદા ઝીયાને લશ્કરી જુન્ટાએ સત્તા સંભાળતાં જ સૌથી પહેલાં નજરકેદમાંથી મુકત કયા. તેઓ અને તેઓના જન્નતનશીન પતિ બંનેનું ભારત વિરોધી વલણ જાણીતું છે.
વાસ્તવમાં ૨૦૨૪ના જાન્યુઆરીમાં મહિનામાં હસીનાએ જણાવ્યું હતું કે તેઓ હવે ચૂંટણી લડવા માગતાં નથી. પરંતુ તેઓના સમર્થકોએ આગ્રહ કરી તેઓને ચૂંટણીમાં ઊભાં રખાવ્યાં.
તેઓ જાણતાં જ હતાં કે તેઓને ઇસ્લામિક કટ્ટરવાદીઓ તેમજ પશ્ચિમ (પાકિસ્તાન)ના એજન્ટો તેઓને દૂર કરી સત્તા હાથમાં લેવા એક પગે થયા છે. તેથી તો તેઓે તેઓનાં દરેક કુટુંબીજનો રાજકારણમાં પ્રવેશવાની ના કહી હતી. કારણ કે તેઓ જાણતાં હતાં કે તેમની હત્યા થઇ જશે.
આ તરફ લશ્કર અને કટ્ટરપંથીઓ તથા વિધાર્થીઓ શેખ હસીનાને સત્તાભ્રષ્ટ્ર કર્યાનો જશ્ન મનાવી રહ્યાં છે. તો બીજી તરફ દેશ ઉપર આર્થિક કટોકટીનાં વમળો ઘેરાં અને ઘેરાં બનતાં જાય છે. બાંગ્લાદેશ પણ પાકિસ્તાન, માલદીવ અને શ્રીલંકાની જેમ આર્થિક કટોકટીમાં ભીંસાઈ રહ્યું છે. મુશ્કેલી તે છે કે દેશમાં રાજકીય સ્થિરતા સ્થપાઈ નથી. તેથી પશ્ચિમની કે તેનાં નેતૃત્વ નીચેની વૈશ્વિક ધીરાણ સંસ્થાઓ ધીરાણો કરતાં પહેલાં બે નહીં ચાર વખત વિચારે છે. દેશનું અર્થતત્રં હચમચી ગયું છે. બેકારી બેફામ બની છે. હસીના વિદ્ધ આંદોલન ચગાવનાર જમાત એ ઇસ્લામી અને ઇસ્લામી છાત્રશિબિરના નેતાઓને ભાન નથી કે દેશ ઉપર કેટલી ઘેરી આર્થિક કટોકટી તોળાઈ રહી છે. તેમજ દેશમાં હજી કેટલી રાજકીય અસ્થિરતા રહેલી છે. ભારતની વાત લઇએ તો ભૂતાન સિવાય તેના તમામ પાડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવ આર્થિક તેમજ રાજકીય અસ્થિરતામાં સપડાયા છે. મ્યાનમાર (બ્રહ્મદેશ) પણ તેમાં આવી ગયું છે. તો બીજી તરફ ભારતના વિકાસને ખેદાન મેદાન કરવા ઇચ્છતા પાંચમી કનારીયાઓ સળવળી રહ્યા છે. ભારતે તેમનાથી ચેતતા રહેવું અનિવાર્ય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech