ડાંગર કોલેજની બીએચએમએસની માન્યતા રદ: નવા પ્રવેશ પર પ્રતિબંધ

  • July 16, 2024 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે જામનગર રોડ પર આવેલી બી.એ.ડાંગર કોલેજનું બીએચએમએસનું જોડાણ વધુ એક વખત રદ કરવામાં આવ્યું છે. આ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી એક બેચ પસાર થઈ જાય ત્યાં સુધી ભણાવી શકવાની છૂટ આપી છે. પરંતુ નવા પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
નેશનલ કમિશન ઓફ હોમીઓપેથીના કમિટી મેમ્બર આનંદ ચતુર્વેદીના જણાવ્યા મુજબ આ કોલેજમાં અનેક પ્રકારની ગેરરીતિ અને અનિયમિતતા બહાર આવતા તેની માન્યતા રદ કરવામાં આવી છે. આ અગાઉ 2017 -18 અને 19 માં ત્રણ વર્ષ માટે કોલેજની માન્યતા રદ કરવામાં આવી હતી. પરંતુ કોલેજ સંચાલકો અપીલમાં ગયા હતા અને જે કોઈ ક્ષતિ છે તે પરિપૂર્ણ કરવાની ખાતરી આપી હતી. પરંતુ આવું બન્યું નથી અને તેના કારણે આ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. કોલેજના સંચાલકો અપીલમાં જઈ શકે છે પરંતુ અપીલનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી કોલેજના બીએચએમએસના અભ્યાસક્રમને રદ કરવાનો જે નિર્ણય લેવાયો છે તે યથાવત રહેશે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જ્યારે આયોગ દ્વારા ગયા એપ્રિલ માસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે 80% સ્ટાફ નકલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. આ કોલેજમાં ઓપરેશન થિયેટર છે પરંતુ કોઈની શસ્ત્ર ક્રિયાના કોઈ રેકોર્ડ નથી. યોગ અને ફિઝિયોથેરાપી માટે રૂમ ઉપલબ્ધ છે પરંતુ તેના કોઈ સાધનો નથી. ઓનપેપર ઘણો બધો સ્ટાફ છે પરંતુ તેને પગાર ચૂકવયાના કે પ્રોવિડન્ટ ગ્રેજ્યુટીની કપાતના કોઈ પુરાવા નથી. આ પ્રકારની અનેક ગીરરીતીના કારણે આ કોલેજનું બીએચએમએસ નું જોડાણ રદ કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application