રાજકોટમાં સિટી બસે કાળો કેર વર્તાવ્યો, ઇન્દિરા સર્કલ પાસે 7 લોકોને ઉલાળ્યા, ત્રણના મોતની આશંકા, ટોળાએ ધમાલ મચાવી

  • April 16, 2025 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં સિટી બસના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી છે. અવારનવાર સિટી બસને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ત્યારે આજે ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ચાલકે 7 લોકોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. જેમાંથી 3 લોકોના મોત થયાની આશંકા છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા છે અને ધમાલ મચાવી દીધી છે. ઘટનાને લઈ પોલીસ પણ દોડી ગઈ છે. ​​​​​​​

લોકોએ બસના કાર ફોડી નાખ્યા

અકસ્માત બાદ ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application