ભારતમાં દર વર્ષે સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન ડેન્ગ્યુના કેસમાં વધારો થાય છે. ઘણી વખત ડેન્ગ્યુ લોકોના જીવ પણ લે છે. પરંતુ શું જાણો છો કે ડેન્ગ્યુના દર્દીઓમાં પણ હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે ડેન્ગ્યુના કારણે હાર્ટ પેશન્ટને વધુ જોખમ રહેલું છે.
ડેન્ગ્યુ મચ્છર
ડેન્ગ્યુ રોગ મચ્છર કરડવાથી થાય છે. ડેન્ગ્યુના કારણે વ્યક્તિને ખૂબ જ તાવ આવે છે અને શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થવા લાગે છે. જો સમયસર સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. સંશોધનમાં સામે આવ્યું છે કે ડેન્ગ્યુ તાવથી હૃદય સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે.
સંશોધનમાં થયો ખુલાસો
સિંગાપોરની નાન્યાંગ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના નેતૃત્વમાં આ અંગે સંશોધન કરવામાં આવ્યું છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19ની સરખામણીમાં ડેન્ગ્યુના દર્દીઓમાં હૃદયરોગનું જોખમ 55 ટકા વધુ છે. જર્નલ ઑફ ટ્રાવેલ મેડિસિનમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં ડેન્ગ્યુના 11,700થી વધુ દર્દીઓ અને 12 લાખથી વધુ કોવિડ-19 દર્દીઓના મેડિકલ ડેટાની તપાસ અને વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ડેન્ગ્યુ કોવિડ-19 કરતા વધુ ખતરનાક
નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં ચેપી રોગના મોડેલિંગના સહાયક પ્રોફેસર અને મુખ્ય લેખક લિમ જુ તાઓએ જણાવ્યું હતું કે ડેન્ગ્યુ વૈશ્વિક સ્તરે સૌથી સામાન્ય વેક્ટર-જન્ય રોગોમાંનો એક છે અને ડેન્ગ્યુના કારણે પાછળથી પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
ડેન્ગ્યુના કારણે હ્રદય રોગનો ભય
દેશમાં હાર્ટ એટેક અને હાર્ટ સંબંધિત રોગોના વધતા જતા કેસોનું મુખ્ય કારણ કોવિડ-19 માનવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર કોવિડ-19 પછી હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. કારણકે લાંબા ગાળે આ તાવ લોહીમાં ગંઠાઈ જવાનું કારણ બને છે. જેના કારણે હૃદયની ધમનીઓ બ્લોકેજ થવા લાગે છે પરંતુ ડેન્ગ્યુ કોવિડ-19 કરતા વધુ અસરકારક હોવાનું કહેવાય છે. સિંગાપોરના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડેન્ગ્યુ પછી હૃદયના સ્વાસ્થ્યને લઈને ખાસ તકેદારી રાખવાની જરૂર છે. સંશોધન મુજબ ડેન્ગ્યુ ભવિષ્યમાં ઘણી રીતે શરીર પર ગંભીર અસરો કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં ડેન્ગ્યુ લીવર ડેમેજ, મ્યોકાર્ડિટિસ અને ન્યુરોલોજીકલ સમસ્યાઓનું કારણ બની શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech