લોધીકા તાલુકાના પારડી ગામની સીમમાં સવારના સુમારે ૬૮ વર્ષના વૃદ્ધા કુવામાં પડી ગયા હતા. જે અંગેની જાણ થતા મવડી ફાયર સ્ટેશનથી ફાયરની ટીમે અહીં પહોંચી વૃદ્ધાના મૃતદેહને બહાર કાઢો હતો. કુવાની બાજુમાં લીંબુડીનું ઝાડવું હોય લીંબુ તોડવા જતા અકસ્માતે વૃદ્ધા કૂવામાં પડી ગયા હોવાની તેના પુત્રએ શંકા વ્યકત કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ સવારના ૧૦ વાગ્યા આસપાસ રાજકોટ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, પારડી ગામની સીમમાં આવેલી વાડીએ વૃધ્ધા કૂવામાં પડી ગયા છે જેના પગલે મવડી ફાયર સ્ટેશનથી ફાયરની ટીમ અહીં પહોંચી હતી.બાદમાં વૃદ્ધાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢો હતો. બનાવના પગલે પોલીસ પણ અહીં આવી પહોંચી હતી.આ મૃતદેહ પારડી ગામમાં રહેતા જયાબેન શંભુભાઈ ઘરડુશિયા(ઉ.વ ૬૮) નો હોવાનું માલુમ પડું હતું. વૃદ્ધાને સંતાનમાં બે પુત્ર છે.
વૃદ્ધાના પુત્ર નિલેશભાઈ ઘરડુશિયાએ જણાવ્યું હતું કે, તેમના માતા રોજ સવારના વાડીએ જતા હતા આજરોજ સવારના સાથે નાસ્તો કર્યા બાદ તે વાડીએ ગયા હતા. હત્પં તથા મારો પુત્ર બાઈક લઈને વાડીએ પહોંચ્યા હતા. દરમિયાન અહીં મારા માતા વાડીએ હોય અને તે કબૂતરને ચણ નાખતા હતા. ત્યારબાદ બાજુની વાડીમાંથી ડુંગળી લેવાની હોય જેથી અમે પિતા–પુત્ર ત્યાં ગયા હતા. થોડીવાર બાદ અહીં વાડીએ આવતા માતા નજરે ન પડતા તપાસ કરી હતી. કબુતરને ચણ નાખ્યા બાદ તેઓ કુવા પાસે હોવાની જાણ હોય જેથી કુવામાં પડી ગયાની શંકા ગઈ હતી અને બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. નિલેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કુવાને અડીને જ લીંબુડીનું ઝાડ હોય જેથી લીંબુ તોડતી વેળાએ અકસ્માતે તેઓ કુવામાં પડી ગયા હોવાની શંકા વ્યકત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech