જેતપુર પંથકમાં અતિવૃષ્ટિથી તૈયાર પાકને નુકસાન: સહાય ચૂકવવા માગણી

  • September 05, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુર પંથકમાં અતિવૃષ્ટ્રિને કારણે ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. પાક તૈયાર થઈને લણવાની અણી પે હતો ત્યારે જ એકસાથે વરસાદ ખાબકતા તુવેર, મરચી, ડુંગળી, કપાસ તેમજ મગફળીનો ઉભો પાક વધુ પડતા વરસાદને કારણે બળી ગયો છે. જેથી સરકાર દ્રારા તાત્કાલીક પાકનું સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં સો ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે. અને મોટા ભાગનો વરસાદ બે દિવસના સમયગાળામાં જ પડતા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ચડી ગયું જેથી તૈયાર થયેલ પાક બળી ગયો છે. ખેડૂતોની વ્યથા જાણવા દિવ્ય ભાસ્કર યારે ખેતરે પહોંચ્યું ત્યારે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવેલ કે, મરચીના પાકનું વિધે પંદરથી વિસ હજાર પિયાનો ખર્ચ કરી વાવેતર કરેલ હતું. અને પાકની માજવતના પગલે પાક લગભગ તૈયાર હતો એક વરસાદ બાદ પાક લણવાનો હતો. ત્યાં અતિવૃષ્ટ્રિ થતા ખેતરોમાં પાણી ભરાય ગયા જેના કારણે ઉભા પાક પર પાણી ચડી ગયા. જે પાક લણવાનો હતો તે નજર ખેડૂતોની સામે સુકાવા લાગ્યો.
મરચીના પાક જેવી જ પરિસ્થિતિ તુવેર, ડુંગળી, કપાસ અને મગફળીની પણ થઈ, એકબાજુ પાક અતિવૃષ્ટ્રિને કારણે ખેતરોમાં સુકાય ગયો અને જે પાક થશે તેનાથી મજૂરીનું વળતર પણ મળે તેમ નથી. આવી પરિસ્થિતિમાં સરકાર દ્રારા હજુ સર્વે કરવાના પણ ઠેકાણા નથી. જેના કારણે ખેડૂતોમાં ખૂબ હતાશા ફેલાય છે. હવે આ પાક કાઢી બીજા પાકનું વાવેતર પણ કરે તો શિયાળું પાકનું વાવેતર ન કરી શકે. જેથી સરકાર દ્રારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને  વિધે પંદરથી વિસ હજારની સહાય ચૂકવે તો જ ખેડૂત શિયાળું પાકનું સારી રીતે વાવેતર કરી શકે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application