રાજકોટ એસટી બસપોર્ટથી અમદાવાદ એરપોર્ટ જવા ડેઇલી એસી વોલ્વો મળશે; ટિકિટ માત્ર આટલા જ રૂપિયા

  • February 02, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ એરપોર્ટથી રાજકોટ આવવા માટે દરરોજ સવારે ૬ કલાકે અને રાજકોટ બસ પોર્ટથી અમદાવાદ એરપોર્ટ સુધી જવા દરરોજ સાંજે પાંચ કલાકે એસટી નિગમની એરકન્ડિશન વોલ્વો બસ મળશે. આ નવી સેવાનો પ્રારભં આગામી તા.૫ ફેબ્રુઆરીથી થશે જેનું ભાડું .૫૫૩ રહેશે. એસટીની વોલ્વો બસ અમદાવાદ એરપોર્ટથી વાયા–નરોડા, ગીતામંદિર, નહેનગર, લીંબડી, ચોટીલા હાઇવે થઇ રાજકોટ પહોંચશે.

વિશેષમાં આ અંગે નિગમના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રથી આંતરરાષ્ટ્ર્રીય તથા આંતર રાજય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધાસભર બસ કનેકિટવિટી મળી રહે તે હેતુથી આગામી તા.૫–૨–૨૦૨૪ને સોમવારથી ગુજરાત રાય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જવા–આવવા માટે વોલ્વો એ.સી બસ સેવાનો શુભારભં થશે.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જવા દરરોજ સવારે ૬ કલાકે અને રાજકોટથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવવા સાંજે પાંચ કલાકે એસટીની એકન્ડિશન વોલ્વો બસ મળશે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ખાસ પોટા કેબીન દ્રારા બસ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાંથી વોલ્વો બસનું એરાઈવલ તથા ડિપાર્ચર થશે.વોલ્વો બસ અમદાવાદ એરપોર્ટથી વાયા–નરોડા, ગીતામંદિર, નહેનગર, લીમડી, ચોટીલા હાઇવે થી જશે. આ વોલ્વો બસનું ટિકિટ ભાડૂ .૫૫૩ રહેશે. આ બસ ટમાં મુસાફરોને ઘરે બેઠાં નિગમની વેબસાઇટ .લતિંિભ.શક્ષ  ઉપર તેમજ મોબાઈલ એપ ઋજ્ઞજ્ઞલહય ઙહફુ જજ્ઞિંયિમાં ઋજછઝઈ ઘરરશભશફહ   ડાઉનલોડ કરી એડવાન્સ બુકિંગની સેવાનો લાભ લઇ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application