જામનગરમાં ભાવનગરથી વરરાજાની વેલ હેલિકોપ્ટરમાં આવતાં લોકોના ટોળા એકઠા થયા

  • December 12, 2023 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના રાજપૂત સમાજના બિઝનેસમેન અજયસિંહ છત્રસિંહ ચુડાસમા ના પુત્ર કરણસિંહના લગ્ન પ્રસંગમાં બદલાતા સમયે અને પરંપરાઓની વચ્ચે સંસ્કૃતિ નો પણ સુગમ સાથે રજવાડી ઠાઠમાઠ જોવા મળે તે માટે વિવિધ પ્રસંગમાં ચુડાસમા પરિવારના આંગણે સોમવારે હેલિકોપ્ટર મારફતે વેલનું આગમન થયું હતું. ભાવનગરથી વરરાજાની આવેલી વેલ માટે ભારે ઠાઠમાઠ સાથે પરીવારજનો જોવા મલ્યો હતો. શહેરની મધ્યમાં હેલિકોપ્ટરનું ઉતરાણ થયું, ત્યારે ચુડાસમા પરિવારના સભ્યો અને નિમંત્રિત મહેમાનો તેમજ અન્ય લોકો ટોળે વળ્યા હતા. કેટલાક લોકોએ હેલિકોપ્ટરની સાથે સેલ્ફી પણ પડાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application