ઉત્તરાખંડમાં 10મી મેથી ચારધામ યાત્રા શરૂ થઈ છે. ત્યારે 4 દિવસની યાત્રા દરમિયાન કેદારનાથ મંદિરની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે.
ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની યાત્રા શરૂ થયાને 4 દિવસ વીતી ગયા છે. કેદારનાથ ધામના દર્શન કરવા લાખો ભક્તો આવી રહ્યા છે. માહિતી પ્રમાણે 4 દિવસની યાત્રા દરમિયાન કેદારનાથ મંદિરની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે.
કેદારનાથ ધામમાં ભક્તોની ભીડ ઉમટી
ઉત્તરાખંડમાં 10મી મેના રોજ અક્ષય તૃતીયાના દિવસથી ચારધામ યાત્રા શરૂ થઈ હતી. અક્ષય તૃતીયાના શુભ અવસર પર યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અદ્દભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.
છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરાખંડમાં હળવી હિમવર્ષા અને વરસાદ જેવી ગતિવિધિઓ જોવા મળી રહી છે, પરંતુ તેમ છતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. જોકે, વહીવટીતંત્રે મુસાફરોને સાવચેતીપૂર્વક મુસાફરી કરવાની સૂચના આપી છે. યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામ સિવાય બદ્રીનાથ ધામના દરવાજા પણ 12 મેના રોજ ખોલવામાં આવ્યા હતા. બદ્રીનાથ ધામમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMધારીના આશ્રમમાં માથાભારે શખ્સોનો આતંક, સાધુ સંતોને ધમકાવ્યા
September 28, 2024 07:00 PMરાજકોટમાં કનકનગરમાં કુરિયર પેઢીમાંથી ₹1,77,000 ની ચોરી કરનારને પોલીસે દબોચ્યો
September 28, 2024 06:58 PMરાજકોટ મનપાના ચોપડે ₹1350 કરોડથી વધુ ટેક્સ વસૂલવાનો બાકી
September 28, 2024 06:57 PMઉનામાં ત્રણ સિંહ સામે શ્વાને બાથ ભીડી, જુઓ Video....
September 28, 2024 06:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech