કાલાવડના નવાગામમાં છરી વડે હુમલો કરવાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી અદાલત

  • October 26, 2023 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં છ  વર્ષ પહેલા છરી વડે હુમલો કરી હત્યા પ્રયાસના કેસમાં આરોપીને આજીવન કેદની સજાનો હુકમ થયો છે.


આ કેસની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નવાગામના અમિત દામજીભાઈ અકબરીના કૌટુંબિક કાકા ભવનભાઈનાં જીરાનો જથ્થો આરોપી જનકસિંહ ઉર્ફે જખરોએ સળગાવી નાખ્યો હતો . આ બનાવ અંગે અમિતભાઈ પોતાના કાકા સાથે પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતા, જેનો ખાર રાખીને ગત તાં. ૭/૭/૨૦૧૭ નાં અમિતભાઈ અકબરી પોતાનાં મકાનની છત ઉપર રાત્રે સુતા હતા ત્યારે આરોપી જનક્સિંહ ત્યાં આવ્યો હતો. અને છરી વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં અમિતભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આથી તેઓને  સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે પોલીસમા ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા પ્રયાસની કલમ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ  કરી હતી.


આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા એડિશનલ પબ્લિક પ્રોસિબ્યુટર ધર્મેન્દ્ર જીવરાજાનીએ દલીલો કરી હતી કે, આ આરોપી રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ પણ હત્યા પ્રયાસનો ગુનો નોંધાઈ ચૂક્યો છે અને તેને સજા પણ પડી હતી. જો તેને છોડવામાં આવશે તો તે ફરી ગુના આચારશે. આ કેસમાં ૨૭ જેટલા દસ્તાવેજી પુરાવા અને ૨૭ સાહેદોને તપાસવામાં આવ્યા હતા. તમાંમ દલીલોનાં અંતે  એડિશનલ સેશન્સ જજ  એ. એ. વ્યાસે આરોપી જનકસિંહ ઉર્ફે જાખરોને આજીવન કેદની સજા અને રૂ. ૧૦ હજારના દંડનો આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસિક્યૂટર  વકીલ ધર્મેન્દ્ર જીવરાજાની રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application