વિશાખાપટ્ટનમમાં મેયર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે અને આગામી ૧૯ એપ્રિલે આ અંગે મતદાન પહેલા, ટીડીપી અને વાયએસઆરસીપીએ તેમના કાઉન્સિલરોને શ્રીલંકા અને મલેશિયા રવાના કરી દીધા છે.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં મેયર જી. હરિ વેંકટ કુમારી સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જેના પર 19 એપ્રિલે મતદાન થવાનું છે. આ કારણે હવે રાજ્યમાં 'આંતરરાષ્ટ્રીય રિસોર્ટ રાજકારણ' શરૂ થઈ ગયું છે. તેલુગુ દેશમ પાર્ટી અને વાયએસઆરસીપીએએ તેમના સંબંધિત કાઉન્સિલરોને અન્ય સ્થળોએ મોકલ્યા છે જેથી તેઓ વિપક્ષી પાર્ટીના સંપર્કમાં ન આવે.
અહેવાલ મુજબ, ટીડીપી એ તેના કાઉન્સિલરોને મલેશિયા મોકલ્યા છે, જ્યારે વાયએસઆરસીપીએ એ તેના કાઉન્સિલરોને શ્રીલંકા મોકલ્યા છે. આ પગલાનો હેતુ કાઉન્સિલરોને પોતાના પક્ષમાં રાખવાનો અને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન દરમિયાન કોઈપણ રાજકીય ઉથલપાથલ ટાળવાનો છે. વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન પર હાલમાં વાયએસઆરસીપીએનું શાસન છે. મેયર જી. હરિ વેંકટ કુમારી અને બંને ડેપ્યુટી મેયર જે. શ્રીધર અને કે. સતીશ પણ આ જ પાર્ટીના છે, પરંતુ ગયા વર્ષે રાજ્યમાં સત્તા બહાર હોવાથી વાયએસઆરસીપીએ નબળી પડી રહી છે. તેના ઘણા નેતાઓ હવે તેલુગુ દેશમ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
કોની પાસે કેટલા નગરસેવકો?
ટીડીપીએ 22 માર્ચે મેયર કુમારી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો. આના પર 19 એપ્રિલે મતદાન થશે. મતદાન પહેલા કોઈ પણ પ્રકારની ઉથલપાથલ ટાળવા માટે, બંને પક્ષોએ તેમના કાઉન્સિલરોને મલેશિયા અને શ્રીલંકા મોકલ્યા છે જેથી તેઓ બીજા પક્ષના સંપર્કમાં ન આવી શકે. વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 98 કાઉન્સિલરો છે. આમાંથી, વાયએસઆરસીપી પાસે 59 કાઉન્સિલરો છે. ટીડીપી પાસે 29 કાઉન્સિલરો છે અને તેની સાથી જનસેના પાર્ટી (જેએસપી) પાસે ત્રણ કાઉન્સિલરો છે. ભાજપ, સીપીઆઈ અને સીપીઆઈ(એમ) પાસે 1-1 બેઠક છે.
ટીડીપીનો મોટો દાવો
ગયા વર્ષે જૂનમાં, ટીડીપીના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધન રાજ્યમાં સત્તામાં આવ્યું. આ પછી, લગભગ 25 વાયએસઆરસીપી કાઉન્સિલરો ટીડીપી માં જોડાયા છે. હવે, ટીડીપીનો દાવો છે કે તેને 65 થી 70 કાઉન્સિલરોનું સમર્થન છે જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવા માટે તેને 74 મતોની જરૂર છે. ટીડીપી નેતા પી. શ્રીનિવાસ રાવે 69 કાઉન્સિલરોના સમર્થનથી અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કર્યો હતો. જેએસપીના ધારાસભ્ય વંશી કૃષ્ણા કહે છે કે તેમને લગભગ 70 કાઉન્સિલરોનું સમર્થન છે અને મતદાન પહેલાં આ સંખ્યા વધુ વધી શકે છે.
પાર્ટી બધા કાઉન્સિલરોનો ખર્ચ ઉઠાવશે
કોઈ પણ કાઉન્સિલર અન્ય કોઈ પક્ષના સંપર્કમાં ન આવે તે માટે, ટીડીપીએ તેના કાઉન્સિલરોને મલેશિયા મોકલ્યા છે. ટીડીપી પ્રમુખ પલ્લા શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે લગભગ 26 કાઉન્સિલરો કુઆલાલંપુરમાં છે. પાર્ટીએ તેમનો તમામ ખર્ચ ઉઠાવવાની ખાતરી આપી છે. બીજી તરફ, વાયએસઆરસીપીએ પણ પહેલા તેના કાઉન્સિલરોને બેંગલુરુ નજીકના એક રિસોર્ટમાં રાખ્યા અને પછી તેમને શ્રીલંકા મોકલ્યા. ડેપ્યુટી મેયર ગિયાની શ્રીધરે જણાવ્યું હતું કે તેઓ હાલમાં કોચીમાં છે અને 30 કાઉન્સિલરો શ્રીલંકામાં અલગ અલગ સ્થળોએ છે. જો ટીડીપી આ પ્રસ્તાવ જીતી જાય છે, તો તે વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન પર કબજો કરશે. 2024ની ચૂંટણીમાં, ટીડીપી એ શહેરની તમામ 7 વિધાનસભા બેઠકો જીતી હતી અને લોકસભા ચૂંટણીમાં પણ પ્રચંડ વિજય મેળવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુનીલ શેટ્ટીએ બોર્ડરમાં કામ કરવાની ચોખ્ખી ના પડી દીધી હતી
May 19, 2025 12:12 PMશાંત રહેવાથી પણ બદલાઈ શકે છે જીવન, પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મળે છે 5 ફાયદા
May 19, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech