આજે બકરીઈદની સરકારી જાહેર રજામાં ધોળકીયા સ્કુલને જાણે સરકારના નિયમો સાથે કઈં લેવાદેવા જ ના હોય તેમ અવારનવારની જેમ આજે પણ ધોળકિયા સ્કૂલની તમામ બ્રાન્ચો ચાલૂ રાખી હતી ત્યારે આજે આ સ્કૂલના અનેક વિધાર્થીઓના અને તેઓના વાલીઓના ફરિયાદો કરી હતી કે આજે આ જ સ્કૂલમા શૈક્ષિણિક કાર્ય કેમ ચાલુ ? આજે તેઓની ફરિયાદોને આધારે કોંગ્રેસના વિધાર્થીનેતા અને કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂત અને તેઓની ટીમ જે જે શાળાઓ આજે ચાલુ હતી તે સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બધં કરાવવા સચાલકોને રજૂઆત કરવા નિકળ્યા હતા ત્યારે બાલાજી હોલ નજીક આવેલી કે.જી.ધોળકિયા સ્કૂલ પર પહોચ્યા હતા અને સ્કૂલ સંચાલકની ચેમ્બરના વ્યવસ્થિત રજૂઆત કરતા હતા.
રોહિતસિંહ રાજપૂતે ધોળકીયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાન્ત ધોળકીયાને રજૂઆત કરતા કહ્યુ હતુ કે જે નાના ભૂલકાઓને આપણે બિનસાંપ્રદાયિકતા અને સર્વ ધર્મ સમ ભાવ ના પાઠ ભણાવિયે છે તે બાળકોને કોઇ પણ ધાર્મિક તહેવારોની જાહેર રજાઓમા શાળાઓએ બોલાવવામા આવે ત્યારે તેઓની માનસ પર ખરાબ અસર વર્તાય છે.શાળાઓમા તમામ ધર્મના બાળકો અભ્યાસ કરતા હોય છે ત્યારે આ રીતે ધાર્મિક ભેદભાવો રાખી કયારેક શાળા બધં તો કયારેક ચાલુ તો અમુક બાળકોની માનસતા પર ભેદભાવભરી નીતિની ગંભિર અસર વર્તાય છે.આપણો દેશ બિનસાંપ્રદાયિક દેશ છે ત્યારે તમામ ધાર્મિક તહેવારોમા શાળાઓ બધં રહે એ અમારી પ્રાથમિકતા છે. બાળકોનુ શૈક્ષણિક કાર્ય બગડે તેવો અમારો બદઇરાદો નથી
યારે આ બાબતે સ્કૂલ સંચાલકને રજૂઆત કરતા હતા ત્યારે તાલુકા પોલીસે બળજબરીપૂર્વક કાર્યકરોની અટકાયત કરી હતી. રોહિતસિંહ રાજપૂતનો સંપર્ક કરતા જણાવ્યું હતુ કે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે આજે પાંચ કોલ કરેલ હતા પણ કોઇ પ્રત્યુતર મળ્યો ના હતો બાદમા અમારે સ્કૂલે બ જવુ પડું હતુ પણ સંચાલક એ પોલીસને આગળ કરી વિધાર્થીઓનો અવાજ દબાવ્યો છે. અમને જિલ્લા શિક્ષણ અધિકારીનો મોડેથી ફોન આવ્યો છે અને અમે નિયમોનો ઉલાળિયો કરનાર સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે અને ડીઈઓ એ અમને બાંહેધરી આપી છે કે આવનાર સમયમા આ બાબતે અમે કડકાઈ દર્શાવશુકોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂત સહિત જીત સોની,યશ ભીંડોરા,રોનક રવૈયા,મોહિબ સેતા સહિત કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સાધના કોલોની બીજા ગેટ પાસે ફરસાણની દુકાનમાં લાગી આગ
June 26, 2024 07:26 PMજામનગર મહાનગરમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
June 26, 2024 06:15 PMજામનગર: નવ વર્ષના બાળકના મોત અંગે DYSPએ વિગતો આપી
June 26, 2024 06:06 PMજામનગર: ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના અધ્યક્ષ સ્થાને શાળા નં 46માં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
June 26, 2024 06:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech