ભાજપના નેતાઓને સદબુદ્ધિ મળે તે માટે કોંગ્રેસે પ્રાર્થના કરી

  • May 21, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ભાજપના નેતાઓ દ્વારા અવારનવાર  બફાટ કરી ભારતીય સેનાનું અપમાન કરે છે છતાં તેની સામે  ભાજપ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા આવા નેતાઓને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થનાનો કાર્યક્રમ ગઈકાલે મંગળવારે સાંજે પાંચ કલાકે જશોનાથ સર્કલ ખાતે યોજાયો હતો. તાજેતરમાં મધ્યપ્રદેશના મંત્રી દ્વારા આર્મી ઓફિસર સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન ગણાવી અને મધ્યપ્રદેશના ડેપ્યુટી સી.એમ. દ્વારા ભારતીય આર્મી મોદીજીના ચરણોમાં છે એવું કહી ભારતીય આર્મીનું અપમાન કર્યું છે. તેમ છતાં બફાટ કરતા ભાજપના નેતાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બેફામ વાણી વિલાસ કરી ભારતીય દીકરી અને ભારતીય સેના કે જે દેશના નાગરિકોની સુરક્ષા માટે પોતાનું કર્તવ્ય અને ફરજ બજાવે છે તેવા દેશના સૈનિકોનો ભાજપના નેતાઓ અવારનવાર અપમાન કરે છે. ભારતીય સેનાઓનું અપમાન કરતા આવા નેતાઓને પાર્ટીમાંથી હકાલ પટ્ટી પણ કરવામાં આવતી નથી. ત્યારે આવા બફાટ કરતા ભાજપના નેતાઓને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે તારીખ ૨૦ ને મંગળવારે સાંજે  જશોનાથ સર્કલ ખાતે કરવામાં આવી હતી.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application