સરકારમાં રજૂઆત કરવાની હૈયાધારણા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરના ભારે વરસાદના પગલે અતિવૃષ્ટિના કારણે થયેલી નુકસાનની જાતમાહિતી મેળવવા અને નિરીક્ષણ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રતિનિધિ મંડળનું દેવભૂમિ દ્વારકામાં આગમન થયું હતું. જેમાં ભીખુભાઈ વારોતરીયા, સારાબેન મકવાણા અને પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં કાર્યકરોએ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ, પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ વિસ્તારના ગ્રામજનોને ઉપસ્થિત આગેવાનોએ સરકારમાં યોગ્ય રજૂઆત કરવાની હૈયાધારણા આપી હતી. આ સાથે આજરોજ શુક્રવારે જિલ્લા કલેક્ટરને જિલ્લા કોંગ્રેસ દ્વારા આ બાબતે આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ પ્રતિનિધિમંડળ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજ્જન, અરજણભાઈ કણઝારીયા લક્ષમણભાઈ આંબલીયા, નીરૂભા જાડેજા, કે.વી. ચાવડા, રાજાભાઈ પોસ્તરીયા સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech