તપ, ત્યાગ અને આરાધનાની હેલી સાથે પર્યુષણ પર્વનો પ્રારંભ

  • September 12, 2023 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તપ, ત્યાગ અને આરાધનાની હેલી સાથે આજથી જૈનોના પવિત્ર પર્વધીરાજ પર્યુષણ પર્વનો પ્રારભં થયો છે. આ વરસે દેરાવાસી અને સ્થાનકવાસી સમાજના પર્યુષણ પર્વનો એક જ દિવસે એક જ સાથે પ્રારભં થયો હોવાથી ભકિત નો માહોલ હિલોળે ચડો છે.
આજથી આઠ દિવસ સુધી જૈન સમાજના શ્રાવકો અને શ્રાવિકાઓ તપ ત્યાગ અને ઉપવાસ સાથે આત્માની ખેતી કરી પુણ્યનું ભાથું બાંધશે. આઠ દિવસના આ પર્વમાં જૈન સમાજ જિનાલય અને ઉપાશ્રયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ધર્મ આરાધના કરશે. સાધુ સંતો અને આચાર્ય ભગવંતો ના સાનિધ્યમાં તપ અને જપ માં લીન થશે.આઠ દિવસ સુધી લીલોતરી અને અન્ય ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરીને જૈન સમાજ ના ભાવિકો અહિંસા નું ચુસ્તપણે પાલન કરતા હોય છે સવાર સાંજ પ્રતિકમણ કરી અને મન વચન અને કાયાના દોષપી ભૂલો ને માફી માગી ખમાવશે. પર્વના પાંચમા દિવસે પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નું વાંચન સાથે મહાવીર જન્મોત્સવ ઉજવાશે ત્યારબાદ આઠમા દિવસે મહાપર્વ સંવત્સરી ની દિવ્ય આરાધના સાથે ઉજવણી થશે. આ મહાપર્વ દરમ્યાન ઘણા શ્રાવકો અને શ્રાવિકાઓ નાની મોટી તપસ્યાઓ સાથે પુણ્યનો ભાથું બાંધે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application