ચોમાસાની વિદાય પ્રારંભ: જામનગરમાં ઝાકળનું આગમન: તાપમાન ૩૪.૫ ડીગ્રી

  • September 29, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે વિઘ્નહર્તાની વિદાય સાથે ચોમાસાની વિદાયનો પ્રારંભ થયો છે, આજે વ્હેલી સવારે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ઝાકળ જોવા મળી હતી.



સમગ્ર જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સટાસટી બોલાવી મેઘરાજાએ નદી-નાળા છલોછલ કરી દીધા બાદ શ્રાવણ માસમાં વાછટ જ આપી હતી અને ચાલુ માસ ભાદરવામાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો છે.



આજે વહેલી સવારે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ઝાકળ જોવા મળી હતી,જેથી એમ કહી શકાય કે ચોમાસાની વિદાયનો પ્રારંભ થયો છે,જામનગર કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે મહતમ તાપમાન ૩૪.૫ અને લઘુતમ તાપમાન ૨૬.૬ નોંધાયું છે.



સમગ્ર જિલ્લામાં મિશ્ર વાતાવરણ અનુભવાઈ રહ્યું છે બપોરે ભાદરવાનો સખત તડકો,ગરમી સવારે તેમજ સમી સાંજે ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરમાં પવન ગતિ ૨૫  થી ૩૦ તેમજ હવામાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા નોંધાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application