કાલાવડમાં મોચી યુવાનનો આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

  • June 29, 2024 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં રહેતા મોચી જ્ઞાતિના એક યુવાને પોતાના ઘેર આર્થિક સંકળામણ થી તંગ આવી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે કાલાવડ પોલીસ તપાસ ચલાવે છે.


આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં ખત્રી શેરીમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા વિશાલ પ્રવીણભાઈ પરમાર નામના ૨૯ વર્ષના મોચી જ્ઞાતિના યુવાને ગઈકાલે પોતાના ઘેર છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.


આ બનાવ અંગે મૃતકના પિતા પ્રવીણભાઈ ડાયાભાઈ પરમારે પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ, મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવાન આર્થિક ખેંચ અનુભવતો હતો, જેના કારણે જિંદગીથી કંટાળી જઈ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application