જામનગરમાં વાદળો આવ્યા, રાહત લાવ્યા: તાપમાનમાં ઘટાડો

  • June 14, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકધારી આકરી ગરમીથી પરેશન જનજીવનને સામાન્ય રાહતની લાગણી: મેઘરાજાની પધરામણીનો બધાને ઇંતેજાર: તાપમાન 36.6 ડીગ્રી નોંધાયું: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હળવા વરસાદની હવામાન ખાતાની આગાહી


રાજયના વાતાવરણમાં ચોમાસાની અસર જોવા મળી છે, ગમે ત્યારે વરસાદ ત્રાટકી શકે છે, તા.15 જૂન બાદ લગભગ ચોમાસુ બેસી જાય તેવા સંજોગો ઉભા થયા છે, જામનગરમાં તાપમાનમાં નજીવો ફેરફાર થયો છે, પરંતુ ગઇકાલે સાંજે 55 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમીમાં રાહત થઇ હતી.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન  36.6 ડીગ્રી, લઘુતમ તાપમાન 28.8 ડીગ્રી, હવામાં ભેજ 71 ટકા અને પવનની ગતિ 50 થી 55 કિ.મી. પ્રતિકલાક રહી હતી. કેટલાક ગામોમાં તો તાપમાન 41 ડીગ્રી સુધી પહોંચી જશે તેવી આગાહી કરવામાં આવી છે, આજ સવારથી જ બફારો શ થઇ ગયો છે અને જામનગરમાં પણ આગાહી ન હોવા છતાં વાદળો બંધાયા છે.


સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડતા થોડો સમય વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જો કે બાદમાં ગરમીની શઆત થઇ હતી.


જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, કલ્યાણપુર, જામજોધપુર, ખંભાળીયા, દ્વારકા, સલાયા, ફલ્લા ગામમાં પણ આજ સવારથી બફારો જોવા મળ્યો છે અને કેટલાક ગામોમાં તો વાદળીયું વાતાવરણ શ થયું છે, ગઇકાલે સાંજે 55 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો, લાંબા સમય બાદ ગુજરાતમાં જોરદાર ગરમી પડી રહી છે, મોટેભાગે સાંજના 6 વાગ્યા પછી ઠંડક રહેતી હોય છે, તેના બદલે રાત્રે પણ તાપમાન 41 થી 42 ડીગ્રી વચ્ચે રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.


જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 11 વાગ્‌યા સુધી વાદળો જોવા મળ્યા હતાં, હવામાનમાં ધીરે-ધીરે પલ્ટો આવી રહ્યો છે, હાલ તો જો કે વરસાદની કોઇ આગાહી હાલારમાં હવામાન ખાતાએ કરી નથી, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન ખાતાએ વરસાદ પડે તેવી આગાહી કરી છે જેથી તંત્ર સચેત બની ગયું છે, સામાન્ય રીતે ચોમાસુ 20 જુન બાદ ધીરે-ધીરે બેસતું હોય છે, કેરળ અને મુંબઇમાં ચોમાસુ બેસી જતાં તેની અસર હવે સૌરાષ્ટ્ર ઉપર પડી છે.


હજુ બે દિવસ પહેલા જ જિલ્લા કલેકટરે પ્રિ-મોન્સુનની કામગીરી તેમજ પીવાના પાણીની સમસ્યા અંગે અધિકારીઓની બેઠક બોલાવી હતી, ઉપરાંત વરસાદ આવે તો શું સ્થિતિ છે તે અંગે જાણકારી મેળવી હતી. બચાવના સાધનો છે કે કેમ તે અંગે પણ માહિતી આપવા જણાવ્યું હતું, આમ જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાનું તંત્ર અત્યારથી જ સચેત થઇ ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application