ખંભાળીયાના સ્મશાનમાં સફાઇ કામગીરી હાથ ધરાઇ

  • December 27, 2023 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવસની ઉજવણી અંતર્ગત કરાયું કાર્ય

દેશના પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના દિને ઉજવાતા સુશાસન દિવસ અંતર્ગત જામખંભાળીયામાં વિવિધ સામાજિક કાર્યો થકી ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગ‚પે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો દ્વારા ખામનાથ મહાદેવ નજીક આવેલ સ્મશાન ભૂમિ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સઘન સાફ સફાઇ કરવામાં આવી હતી, આ સમયે જિલ્લા પ્રમુખ મયુરભાઇ ગઢવી, જિલ્લા યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, સામજીભાઇ નકુમ, ખીમાણંદભાઇ ગઢવી, રાણાભાઇ ગઢવી, કે.ડી. જોડ, અશોકભાઇ કાનાણી, ઇમ્તીયાઝભાઇ લોદી, મનીષભાઇ રાઠોડ અને તાલુકા સંયોજક ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application