અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે મંદિર પરિસરમાં બનાવવામાં આવનાર મ્યુઝિયમ, સંશોધન કેન્દ્ર, ગૌશાળા અને યજ્ઞશાળા વગેરેની તૈયારી કરવામાં આવી રહી છે અયોધ્યામાં મંદિર નિર્માણને લઈને દરેક રાજ્યોમાંથી કેટલીક મહત્વની સામગ્રીઓ મગાવવામાં આવી છે જેમાં પત્થર, ખડક માટી રેતી વગેરેનો સમાવેશ થાય છે.
ગુલાબી પથ્થર અને આરસ રાજસ્થાનથી આવ્યા
રાજસ્થાનના બંશી પહારપુરથી ગુલાબી પથ્થર અને આરસ લાવવામાં આવ્યો છે. બંશી પહાડપુરમાંથી ચાર લાખ ઘનફૂટ પથ્થરની ખરીદી કરવામાં આવી છે. આ સિવાય મંદિરની દીવાલ જોધપુર પથ્થરની બનાવવામાં આવશે. આ ઉપરાંત મંદિરના નિર્માણમાં રાજસ્થાનના માર્બલનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કર્ણાટકથી આવ્યો વિશાળ ખડક : કર્ણાટકના કકરાલાથી એક વિશાળ શિલા અયોધ્યા મોકલવામાં આવી છે. આ પથ્થરનો ઉપયોગ ભગવાન રામની પ્રતિમા બનાવવા માટે કરવામાં આવ્યો છે. આ પથ્થર તુંગભદ્રા નદીના કિનારેથી લેવામાં આવ્યો હતો.
શાલિગ્રામ પથ્થર નેપાળથી આવ્યો
અયોધ્યામાં ભગવાન રામ અને માતા જાનકીની મૂર્તિઓના નિર્માણ માટે નેપાળથી શાલિગ્રામ પથ્થરો મંગાવવામાં આવ્યા છે. 31 ટન અને 15 ટનના આ બે પથ્થરો પર ઘણું કામ કરવામાં આવ્યું છે. આ પત્થરો નેપાળની ગંડકી નદીના કિનારેથી કાઢવામાં આવ્યા હતા. હિન્દુ માન્યતાઓ અનુસાર, શાલિગ્રામ પથ્થરને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે.
મહારાષ્ટ્રનું સાગનું લાકડું
અયોધ્યા રામ મંદિરના ભાવ્યાવ દરવાજાની ફ્રેમ આરસની બનાવવામાં છે, જ્યારે દરવાજા સાગના લાકડાના બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રથી સાગના લાકડાની આયાત કરવામાં આવી છે. આ દરવાજાઓ પર ખુબજ સુંદર કોતરણીનું કામ પણ કરવામાં આવ્યું છે.
પાંચ લાખ ગામડાઓમાંથી ઈંટો આવી
રામ મંદિરને મજબૂત કરવા માટે આધારને ગ્રેનાઈટથી બનાવવામાં આવ્યો છે. તેમાં 17 હજાર ગ્રેનાઈટ સ્ટોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક પથ્થરનું વજન લગભગ બે ટન છે. તે જ સમયે, મંદિરમાં ઉપયોગમાં લેવાતી ઇંટો દેશભરના લગભગ પાંચ લાખ ગામડાઓમાંથી આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech