એક જૂથના પિતા-પુત્ર અને બીજા જૂથના કાકા ભત્રીજા પર હુમલો થયાની ફરિયાદ
જામનગરમાં મહાકાળી સર્કલ પાસે બે જૂથો વચ્ચે જૂની અદાવતના કારણે ધીંગાણું થયું હતું, અને બંને પક્ષે સામસામાં હુમલા કરાયા હતા, જેમાં ચાર વ્યક્તિઓ ઘાયલ થઈ છે. બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
જામનગરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા કિશોરભાઈ વિરજીભાઈ રાઠોડ નામના ૫૦ વર્ષના રાવળદેવ આઘેડે પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર સાગર ઉપર લાકડી, ઢીકાપાટુ વડે હુમલો કરવા અંગે મહાકાળી સર્કલ નજીક રાવલ વાસ માં રહેતા સોનું ધીરુભાઈ પરમાર, વિજય ચમનભાઈ ગોહિલ, અને રોહિત ધનજીભાઈ પરમાર, કુમાર શિવલાલ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદી અને આરોપી વચ્ચે છ વર્ષ પહેલાં તકરાર થઈ હતી, જેનું મન દુ:ખ રાખીને તેના પર અને પુત્ર પર હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
આ ઉપરાંત સામા પક્ષે કુમાર શિવલાલ પરમાર (ઉ.વ.૩૫) નામના રાવળદેવ યુવાને જુની અદાવતના કારણે પોતાના ઉપર તેમજ પોતાના કાકા ઉપર ઢીકાપાટુ, ઈંટ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખવા અંગે કિશોર વિરજીભાઈ પરમાર અને તેના પુત્ર સાગર કિશોરભાઈ પરમાર સામે વળતી ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષે નાની મોટી ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર અપાઇ છે. પોલીસે બંને પક્ષે સામ સામે ગુના નોંધ્યા છે, અને તપાસ શરૂ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech