બારામુલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીના મોત

  • June 19, 2024 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. સાથે જ એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. બારામુલ્લાના રફિયાબાદ વિસ્તારના વોટરગામ હદીપોરામાં એક દિવસ ચાલેલા સર્ચ ઓપરેશન બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.


આ વિસ્તારમાં બે આતંકીઓ ફસાયા હતા અને સતત ગોળીબાર ચાલુ હતો. આ પહેલા સોમવારે કેન્દ્રશાસિત પ્રદેશના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા પછી સુરક્ષા દળોએ રવિવારે રાત્રે જિલ્લાના અરગામ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.


અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે સવારે બારામુલ્લા જિલ્લાના વોટરગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.


ગઈકાલે એટલે કે મંગળવારે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ થયા બાદ સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું હતું કે વિસ્તારમાં આતંકવાદીઓ વિશે વિશેષ માહિતીના આધારે સુરક્ષા દળો દ્વારા પૂંછ જિલ્લામાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application