જામનગરમાં સાત લાખની રકમનો ચેક પરત ફરવાના કેસમાં સોપારી ખરીદનાર વેપારીને અદાલતે બે વર્ષની સજા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત એવી છે કે, જામનગર ની પ્રભાત એજન્સીના માલીક દિપેશભાઈ જયસુખભાઈ ચાંદ્રા કે જેઓ હોલસેલમાં તથા છૂટકમાં સોપારી ખરીદ વેંચાણનો વેપાર ધંધો કરે છે. તેઓ પાસેથી આઈ.એ.એસ. પાનવાલાના માલીક ઈકબાલ અબ્દુલઅઝીઝ સમા એ તેની જરૂરીયાત મુજબની રૂા. ૧૮,૦૧,૯૨૦ ની સોપારી ની ખરીદી કરી હતી અને ઉપરોકત રકમની પરત ચુકવણી માટે આઈ.એ.એસ. પાનવાલાના માલીક ઈકબાલ અબ્દુલઅઝીઝ સમાએ અલગ અલગ ચેકો આપ્યા હતા. અને જે સંબંધે ચેક રીટર્નની ફરીયાદો દીપેશભાઈ જયસુખભાઈ ચાંદ્રા એ દાખલ કરી હતી. અને જેમા સમાધાન થતા સમાધાન પૈકીની રકમ રૂા. ૭,૦૦,૦૦૦ નો ચેક આઈ.એ.એસ. પાનવાલાના માલીક ઈકબાલ અબ્દુલઅઝીઝ સમા દ્વારા આપવામાં આવ્યો હતો.
જે ચેક પ્રભાત એજન્સીના માલિક દિપેશભાઈ જયસુખભાઈ ચાંદ્રા દ્વારા પોતાની પેઢીના બેંક ખાતામાં રજુ કરતા નાણાંના અભાવે ચેક પરત ફર્યો હતો.જેથી પ્રભાત એજન્સી ના માલીક દિપેશભાઈ જયસુખભાઈ ચાંદ્રા દ્વારા આઈ.એ. એસ. પાનવાલા ના માલીક ઈકબાલ અબ્દુલઅઝીઝ સમા સામે જામનગર ની અદાલતમાં ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે કેસ જામનગરના સાતમા એડી.ચીફ.જયુડી. મેજીસ્ટ્રેટ આર.બી. ગોસાઈ ની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા ફરીયાદીના વકીલ ની વિસ્તૃત દલીલ તથા રજુ કરેલ કાયદાકીય મુદાઓ ધ્યાને લઈ આરોપી આઈ. એ. એસ. પાનવાલાના માલિક ઈકબાલ અબ્દુલઅઝીઝ સમા ને બે વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. ૭,૦૦,૦૦૦ નો દંડ કરેલ અને દંડની રકમ ફરીયાદી ને વળતર પેટે ચુકવવા હુકમ કરેલ છે. અને જો ચેક મુજબ ની રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ ચાર માસ ની સાદી કેદ ની સજાનો હુકમ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech