દ્વારકા જિલ્લામાં ૧૦ ડિસેમ્બરે બાળકોને પોલિયોના ટીપા પીવડાવાશે

  • December 06, 2023 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

ભારત સરકાર દ્વારા સબનેશનલ ઈમ્યુનાઈઝેશન ડે તરીકે ગુજરાત રાજ્યના જિલ્લાઓ નક્કી થયેલા છે. જેમાં દેવભૂમિ દ્વારાકા જિલ્લામાં ૧૦મી ડીસેમ્બર - ૨૦૨૩ના રોજ પોલીયો રાઉન્ડની કામગીરી કરવામાં આવશે. જેના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૦ થી ૫ વર્ષનાં અંદાજીત ૯૭,૨૭૨ બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવામાં આવશે. જેના માટે જિલ્લામાં ૩૯૨ બુથો પર રવિવારે કામગીરી કરવામાં આવશે. સાથે ૭૮૪ જેટલી આરોગ્ય ટીમો દ્વારા ઘરે ઘરે ફરીને બાકી રહેલા બાળકોને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટર અશોક શર્મા દ્વારા ગત વર્ષની કામગીરીની સમિક્ષા કરી જિલ્લાનાં જુદા જુદા સરકારી વિભાગો, પ્રાઈવેટ સંસ્થાઓ તથા ખાનગી કંપનીઓનાં અધિકારીઓને આ અંગે જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  જિલ્લાના ૦ થી ૫ વર્ષનાં બાળકોને  તા. ૧૦ ડીસેમ્બર, ૨૦૨૩ નાં રોજ પોતાના નજીકનાં બુથ ઉપર પોલીયોના ટીપાં પીવડાવવા જિલ્લા કલેકટર અશોક શર્મા દ્વારા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application