પોરબંદરમાં આજે બાળકોને અપાશે સુવર્ણપ્રાસનના ટીપા નિ:શુલ્ક

  • August 30, 2024 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં આજે સુવર્ણપ્રાસનના ટીપા બાળકોને  નિ:શુલ્ક અપાશે.
પોરબંદરમાં પતંજલિ યોગ સમિતિ દ્વારા આજે તા.૩૦.૮.૨૦૨૪ ના  સાંજે ૬:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી ખોજાખાના સામે પતંજલિ ચિકિત્સાલય મોલ,કમલાબાગ સામે શ્રીજી ટાવરમાં પતંજલિ આરોગ્ય કેન્દ્ર, રોકડીયા હનુમાન મંદિર પાછળ બાપા સીતારામ મઢુલી સામે પતંજલિ સ્ટોર,વાડીપ્લોટ આસ્થા બેકરીની સામે ઓલ ઇન પતંજલિ સ્ટોર,વાણીયાવાડ પતંજલિ સ્ટોર ખાતે બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાસનના ટીપા પીવડાવવામાં આવશે.
આ વર્ષે અતિવૃષ્ટિ જેવો વરસાદ પડી રહેલ છે.તેનાથી જનજીવન પ્રભાવિત થયેલ છે.અને તેની અસર દરેક માનવ ઉપર પર પડી  છે.આ ભેજવાળા વાતાવરણની અસર  બાળકો ઉપર પડશે તેથી જો  ૦ થી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાસનના ટીપા પીવડાવવામાં આવે તો તેઓને તાવ,શરદી, સરખામ,ઝાડા-ઉલ્ટી ઇન્ફેક્શન જેવી અનેક સમસ્યાઓથી આપણે બાળકોને સુરક્ષિત રાખી શકીએ છીએ,આપણું બાળક ભારતનું ભવિષ્ય છે,તેને આપણે સાચવવા તે આપણી મા-બાપની ફરજ બને છે.તો આવો આપણે આપણા બાળકોને સુવર્ણ પ્રાસનના ટીપા જરૂરથી પીવડાવીએ,હરિદ્વારથી પ.પુ.સ્વામી રામદેવજી મહારાજનો આદેશ મળતા પોરબંદરમાં પતંજલિ ચિકિત્સા લઈ ખોજાખાના સામે ડોકટર દ્વારા બાળકોને નિ:શુલ્ક ચેકઅપ કરી આપવામાં આવશે.આ પાંચ જગ્યાએ સુવર્ણપ્રાસન ટીપા પીવડાવવામાં આવશે,તો જરૂરથી આપણા બાળકોની તંદુરસ્તી ચેક કરાવો અને સુવર્ણપ્રાસન ટીપા પીવડાવો આનો લાભ દરેક પોરબંદર વાસીઓ મેળવે તેવું  યોગ શિક્ષક નરેશભાઈ જુંગી દ્વારા કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application