ગુજરાતની ૨૬ લોકસભા અને વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણીના મતદાન પૂર્વે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત રાજયના ચૂંટણી ઢંઢેરાને લઈને દિલ્હીમાં મનોમંથન શ કયુ છે તો બીજી બાજુ લોકસભા અને વિધાનસભાની બેઠક માટે જાહેર થયેલા ઉમેદવારોને લઈને કયાંક અને કયાંક નાના મોટા વિખવાદો ચાલી રહ્યા છે ક્ષત્રિય સમાજ દ્રારા કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ પાલા સામે ખુલ્લ ેઆમ બડં પોકારતા મામલો અતિ ગંભીર બન્યો છે ગત સોમવારે દિલ્હીની મુલાકાત બાદ મુખ્યમંત્રી આજે ફરી દિલ્હી તરફ રવાના થયા છે. ગઈકાલે ક્ષત્રિય સમાજ સાથે થયેલી બેઠક બાદ આજે હાઈ કમાન્ડ ને આ અંગે રિપોર્ટ કરવામાં આવશે અત્રે નોંધવું જરૂરી છે કે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ પાલા પણ હાલ દિલ્હીમાં છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ દિલ્હી પહોંચ્યા છે ત્યારે આજે સાંજ સુધીમાં કેટલાક મહત્વના નિર્ણયો જાહેર કરવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે.
લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે. ૧૯ એપ્રિલના દેશમાં પ્રથમ ચરણનું મતદાન થશે. આ પહેલાં ભાજપ પોતાનું ચૂંટણી મેનીફેસ્ટો રજુ કરવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સભ્ય છે અને તેના માટે તેઓ આજે ફરી દિલ્હી જવા રવાના થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી મેનીફેસ્ટો બેઠકમાંભાગ લેશે.આ દરમિયાન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ભાજપ મેનીફેસ્ટોની સમિતી બેઠકમાં ભાગ લેશે. જેમાં દિલ્હીમાં રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાજપ મેનીફેસ્ટો સમિતિના સભ્ય છે અને તેઓ તેમાં હાજર રહેશે.
યાં બીજી તરફ ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ ગઈ છે. જેના બાદ ક્ષત્રિય સમાજ દ્રારા પાલાની ઉમેદવારી રાજકોટ બેઠકથી રદ્દ થાય તેવી માંગણી કરી છે. બીજી તરફ પાલા પણ હાલ દિલ્હીમાં છે. આથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડા વચ્ચે મહત્વની બેઠક યોજાઈ તેવી સંભાવના છે. જેમાં પાલા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવું ચર્ચાય રહ્યું છે. ગત સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા. યાં ભાજપના મેનિફેસ્ટો– ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક યોજાઈ હતી, તેમા પણ મુખ્યમંત્રી સામેલ થયા હતા. કોંગ્રેસના ભરતી મેળાને કારણે પક્ષપલ્ટુઓને મહત્ત્વનું સ્થાન મળી રહ્યું છે, તેથી ભાજપમાં આંતરિક વિવાદ સામે આવી રહ્યો છે. જેના અંગે પણ વડાપ્રધાન મોદી સાથે ચર્ચા થઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહત્યામાં 302 નહીં, 103... જાણો નવા કાયદામાં કયા ગુના માટે લાગશે કઇ કલમ?
July 01, 2024 04:26 PMગોંડલ નજીક ખાનગી ટ્રાવેલ્સ પલટી મારી જતા અકસ્માત
July 01, 2024 04:00 PMવેરાવળમાં નગરપાલિકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીના પોકળ દાવા
July 01, 2024 03:53 PMગોંડલ: બુગદા કાંઠે બંધ મકાનની દીવાલ ધરાશાયી
July 01, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech