ગોંડલ: બુગદા કાંઠે બંધ મકાનની દીવાલ ધરાશાયી

  • July 01, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ આશાપુરા સોસાયટીમાં બુગદા કાંઠે આવેલ એક બંધ મકાનની દીવાલ ધરાશાહી ઈ હતી જેની જાણ તાં  નગરપાલિકાનો  ફાયર સ્ટાફ ઘટના સ્ળે દોડી ગયો હતો.બનાવ ને લઈ ને અન્ય જર્જરિત મકાન ધારકો ને સાવચેતી અંગે સુચના અપાઈ હતી.
આશાપુરા સોસાયટીમા પી.ટી. હોલની બાજુમાં આવેલ  બુગદા ને કાંઠે આવેલ રૂક્ષાનાબેન શેખના બંધ મકાનની દીવાલ ધરાશાહી ઈ હતી. 

ઉપરાંત અરવિંદભાઈ જેઠવાના બંધ મકાનમાં તિરાડો જોવા મળી હતી. કોઈ દુર્ઘટના ન થાય તેને લઈને ફાયર સ્ટાફ દ્વારા અરવિંદભાઈના મકાનમાં પડેલ સામાન ફાયર સ્ટાફ દ્વારા ખાલી કરાવવામાં આવ્યો હતો. અન્ય રમેશભાઈ ભાખોતરાને જાણ કરવામાં આવી છે કે તમારૂ મકાન બુગદાના કાંઠે છે અને જર્જરિત હાલત છે તો ત્યાંથી અન્ય કોઈ જગ્યા પર સામાન ખસેડી લેવો જેી કરીને દુર્ઘટના ના સર્જાય તેવી સૂચના પણ આપવામાં આવી હતી. 

 નગરપાલિકાના વાહન શાખાના ચેરમેન રફીકભાઈ કૈયડા, નગરપાલિકાના નારૂભા, ફાયર વિભાગ માંથી નયનભાઈ, જયેશભાઇ, વિજયભાઈ, સહિતના સ્ટાફે સ્ળ પર જઈને મકાન ખાલી કરાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application