ઈલેકટોરલ બોન્ડની વિગતો જાહેર થયા બાદ તેના વિશે દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે. રાજકીય પક્ષોને ફંડિંગ આપવામાં આઈપીએલની ટીમ પણ બાકી રહી નથી ત્યારે આ સીરિઝમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ પણ ઈલેકટોરલ બોન્ડની યાદીમાં સામે આવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સનું સંચાલન ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ નામની કંપની દ્રારા કરવામાં આવે છે, જેની મૂળ કંપની ઈન્ડિયા સિમેન્ટ છે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો વર્તમાન કેપ્ટન છે. ધોનીની ટીમની માલિકી ધરાવતી કંપનીએ તમિલનાડુની ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે એઆઈએડીએમકેને ચૂંટણી બોન્ડ દ્રારા પૈસા આપ્યા છે. રિપોર્ટ અનુસાર, એઆઈએડીએમકેને ઈલેકટોરલ બોન્ડ દ્રારા ૬.૦૫ કરોડ પિયા મળ્યા છે. આમાંથી મોટા ભાગના પૈસા ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ (ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડના ડિરેકટર) પાસેથી આવ્યા હતા.
ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડએ બે દિવસમાં એઆઈએડીએમકેને ૫ કરોડ પિયાનું ભંડોળ પૂં પાડુ.ં આ પૈસા ૨૦૧૯માં ૨ થી ૪ એપ્રિલની વચ્ચે આપવામાં આવ્યા હતા. જો કે આ પછી પાર્ટીને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી કોઈ પૈસા મળ્યા નથી. ચૂંટણી પંચના ચૂંટણી ખર્ચ વિભાગના સચિવ સાથે શેર કરેલી માહિતી અનુસાર, પાર્ટીને કોઈમ્બતુર સ્થિત લમી મશીન વકર્સ લિમિટેડ પાસેથી ૧ કરોડ પિયા અને ચેન્નાઈ સ્થિત ગોપાલ શ્રીનિવાસન પાસેથી ૫ લાખ પિયા રાજકીય દાન તરીકે મળ્યા છે.
તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકેને લઈને પણ મહત્વની માહિતી સામે આવી છે.
ડીએમકેને ચૂંટણી બોન્ડ દ્રારા ૬૫૬.૬ કરોડ પિયા મળ્યા છે. ડીએમકેએ કહ્યું છે કે ઈલેકટોરલ બોન્ડ દ્રારા મળેલા ૬૫૬.૬ કરોડ પિયામાંથી તેને યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસીસ દ્રારા ૫૦૯ કરોડ પિયા મળ્યા છે. યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસિસ તરફથી મળેલા દાનનો હિસ્સો ડીએમકે દ્રારા મળેલા કુલ રાજકીય દાનમાં ૭૭ ટકાથી વધુ છે. આ કંપનીના માલિક સેન્ટિયાગો માર્ટિન પણ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ની તપાસ હેઠળ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આવતીકાલે સંસદમાં NEET પર ચર્ચાની કરી માંગ
July 02, 2024 05:40 PMઉતરપ્રદેશના હાથરસ નજીક સિકંદરામાં ભોલેબબના સત્સંગ દરમિયાન ભાગદોડમાં 27 લોકોના મોત
July 02, 2024 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech