જૂનાગઢ જિલ્લામાં ૩૦ સ્થળોએ ફૂડ વિભાગનું ચેકિંગ: નમૂના લેવાયા

  • August 24, 2024 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  તહેવારોનો પ્રારભં થયો છે.શહેર જિલ્લામાં મીઠાઈ ફરસાણના વેપારીઓએ ધામા નાખ્યા છે. ખાધ પદાર્થમાં કેટલાક વેપારીઓ દ્રારા ભેળસેળ કરવામાં આવે છે ત્યારે જૂનાગઢ જિલ્લ ામાં ફડ એન્ડ ડ્રગ વિભાગ દ્રારા મીઠાઈ, ફરસાણ અને પ્રોવિઝન સ્ટોર સહિત ૯૦થી વધુપેઢીઓમાં ચેકિંગ કરાયું હતું.જેમાં ૧૮ કિલો દાયું તેલ કબજે કયુ તેમજ ૩૦ સ્થળોએથી ફરાળી લોટ ,મીઠાઈ, નમકીનના નમુના કબજે કરી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ખાધ પદાર્થમાં કેટલાક વેપારીઓ દ્રારા ભેળસેળ કરવામાં આવતી હોય છે.જેના કારણે લોકોના આરોગ્યને નુકસાન થતું હોય છે. તેમાં પણ તહેવારો શ થયા હોવાથી માટે ગલી ગલીએ ફરસાણ અને મીઠાઈઓની ચોકી રખાયેલી જોવા મળી રહી છે.ભેળસેળ અટકાવવા જૂનાગઢ જિલ્લ ામાં ફડ એન્ડ ડ્રગ વિભાગ દ્રારા શહેર અને જિલ્લ ામાં ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી .શહેરી વિસ્તારમાં ૩૨ અને ગ્રામ્યમાં ૨૫ મળી ૫૭ ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.ચેકિંગ દરમિયાન ૧૦ વેપારીઓને ત્યાંથી ૧૮કિલો દાયું તેલ કબ્જે કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સાતમ આઠમના તહેવારના કારણે મીઠાઈ અને ફરાળી વાનગી પણ આરોગવામાં આવે છે. ત્યારે પ્રોવિઝન સ્ટોર, મીઠાઈના વેપારીઓને ત્યાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૪૫ વેપારીને ત્યાં તપાસ કરી મીઠાઈ, નમકીન, ફરાળી લોટ, ગાંઠીયા, ફરસી પૂરી અને બેકરીની આઈટમો મળી ૩૦ નમુના લેવામા આવ્યા હતા. તમામ ખાધ પદાર્થેાના નમૂનાઓને વડોદરા લેબોરેટરીમાં સેમ્પલ અર્થે મોકલવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application