સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાયાના સમાચાર સામે આવ્યા છે. આજે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથેની બેઠક થઈ હતી. જે બેઠક સફળ રહી હતી. અને સસ્તા અનાજના દુકાનદારો અને સરકાર વચ્ચે સુખદ અંત આવી ગયો છે. રાજ્યના સસ્તા અનાજની દુકાનધારક એસોશિએશન દ્વારા હડતાલ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા વિતરણનું કામ આવતીકાલે તા.03 નવેમ્બરથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.
હડતાળ સ્થગિત કરાઈ
રાજ્યની સસ્તા અનાજની દુકાનધારકોના એસોશિએશન સાથે બેઠક બાદ તેમણે હડતાલ સ્થગિત કરવાનો નિર્ણય કરીને આવતીકાલ તા. ૦૩ નવેમ્બરથી દુકાનો ખુલ્લી રાખીને પુરવઠા વિતરણ ચાલુ કરવાની ખાતરી આપી છે તેને રાજ્ય સરકાર આવકારે છે તેમ આજે ગાંધીનગરથી અન્ન, નાગરિક અને પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે દિવાળીના તહેવારો બાદ એસોશિએશનની માંગણી પરત્વે સરકાર હકારાત્મક વિચારણા સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફરી જય શાહની ભવિષ્યવાણી, રોહિત શર્માની કેપટન્સીમાં ભારત આ બંને ટ્રોફી પણ કરશે પોતાના નામે
July 07, 2024 06:22 PMઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech