ચેન્નાઈ એરપોર્ટ પર વિમાનમાંથી ધુમાડો નીકળવા લગતા અરાજકતા

  • September 25, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચેન્નાઈ એરપોર્ટ પર મંગળવારે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. દુબઈ જઈ રહેલા પ્લેનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.એરપોર્ટ પર ઘડીભર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ફાયરનો સ્ટાફ દોડી ગયો હતો, તાબડતોબ પાણીનો મારો ચલાવીને સ્થિતિને કાબુમાં લીધી હતી. અચાનક જ બની ગયેલી આ ઘટનાના લીધે ફ્લાઇટ બે કલાક મોડી પડી હતી. નોંધપાત્ર બાબત એ હતી કે પ્લેનમાં હજુ યાત્રિકો બેઠા ન હતા.આ અકસ્માત ટેક ઓફના થોડા કલાકો પહેલા થયો હતો
ચેન્નાઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના બનતા સહેજમાં ટળી હતી. દુબઈ જઈ રહેલા પ્લેનમાં ટેક ઓફ પહેલા જ એન્જીનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. મળતી માહિતી મુજબ, ચેન્નાઈ-દુબઈ અમીરાતની ફ્લાઈટ ઉપડતી પહેલા પ્લેનના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેના કારણે ત્યાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટના સમયે વિમાનમાં કોઈ મુસાફરો હાજર ન હતા. વાસ્તવમાં આ અકસ્માત ટેક ઓફના થોડા કલાકો પહેલા થયો હતો.
ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી અમીરાતની ફ્લાઈટ રાત્રે દુબઈ માટે ઉપડવાની હતી. તેના થોડા કલાકો પહેલા અચાનક જ ઓવરફિલિંગને કારણે એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ ફ્લાઈટમાં 300થી વધુ મુસાફરો મુસાફરી કરવાના હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application