ચોટીલામાં સિંહ દિવસની રેલી અને માનવસાંકળ સાથે ઉજવણી

  • August 12, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોટીલા તાલુકામાં થોડા વર્ષેા પહેલા મહિનાઓ સુધી ગીરના સાવજે ધામા નાખેલા અને લાંબો સમય આ પંથકમાં વિહરતા સમગ્ર વિસ્તારનો બૃહદ ગીર તરીકે સમાવેશ થયેલ તાજેતરમાં ૧૦ મી ઓગસ્ટનાં વિશ્ચ સિંહ દિવસની ઉજવણી સમગ્ર પંથકની શાળાઓમાં અને ગામડાઓ સહિત શહેરમાં ખુબજ હર્ષભેર કરવામાં આવેલ હતી
ચોટીલા ખાતે નેશનલ હાઈવે થી નિકળેલી મહારેલી મા આર. એફ. ઓ એન. પી. રોજાસરા, બીઆરસી પ્રકાશભાઇ પરમાર તેમજ વન્ય અને શિક્ષણ વિભાગનાં સ્ટાફ પરિવાર વાઇલ્ડ લાઇફ અને પ્રકૃતિ પ્રેમીઓ સાથે અનેક શાળાઓનાં વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને લોકોમાં સિંહ અંગે જાગૃતિ સંદેશ સાથે વન્ય પ્રાણી અને પ્રકૃતિ પ્રત્યે ની જવાબદારી માટે તમામે સપથ ગૃહણ કર્યા હતા.
નાવા મોડેલ સ્કૂલ ખાતે સ્ટાફ પરિવાર અને વિધાર્થીઓ દ્રારા જોરદાર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમા માનવ સાકળ રચી જાગૃતિ સંદેશ આપવામાં આવેલો, સણોસરા,આણંદપુર, રાજપરા, સહિતની તમામ શાળાઓએ સ્થાનિક કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજીને હર્ષ ભેર વિશ્ચ સિંહ દિવસની ઉજવણી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application