ભારતીય ફૂડમાં તેલનું આગવું સ્થાન છે. રસોઈનું તેલ માત્ર ખોરાકને રાંધવા માટે જ નહીં પણ તેને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. લગભગ દરેક શાકભાજીમાં અલગ-અલગ પ્રકારના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક એવા તેલ છે જેનું સેવન શરીરમાં ઝેર જેવું કામ કરે છે. કેટલાક એવા તેલ છે જેના સેવનથી સ્થૂળતા, હૃદય સંબંધિત બીમારીઓ અને સાંધાના દુખાવા અને સોજા સહિતની ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
મકાઈનું તેલ
ઘણા લોકો રસોઈ માટે મકાઈના તેલનો ઉપયોગ કરે છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ સારી માત્રામાં જોવા મળે છે, જેનું વધુ સેવન કરવાથી શરીરમાં સોજો અને દુખાવો થઈ શકે છે. ડૉક્ટરો સંતુલિત કરવા માટે આહારમાં ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર વસ્તુઓ ખાવાની સલાહ આપે છે. તેથી મકાઈના તેલનો વધુ પડતો વપરાશ ટાળો કારણ કે તે સ્થૂળતા અને હૃદય રોગ તરફ દોરી શકે છે.
ઓલિવ તેલ
ઓલિવ તેલ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. પરંતુ તે રસોઈ માટે યોગ્ય માનવામાં આવતું નથી. જો કોઈ તેને ગરમ કરીને ખાય છે તો એ જાણવું જોઈએ કે તે વધુ આંચ પર રાંધવામાં આવે તો તે યોગ્ય નથી. આમ કરવાથી ન માત્ર ડાયેરિયાની સમસ્યા થાય છે, પરંતુ ત્વચા પર પિમ્પલ્સ અને લાલ ફોલ્લીઓના પણ થઈ શકે છે.
સોયાબીન તેલ
મકાઈના તેલની જેમ, સોયાબીનનું તેલ પણ ઓમેગા-6 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે સાંધામાં દુખાવો અને બળતરા પેદા કરી શકે છે. પરંતુ આનાથી બચવા માટે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. આ ખાવું જોઈએ નહીં.
વનસ્પતિ તેલ
રાંધવા માટે વનસ્પતિ તેલનો ઉપયોગ કરો છો, તો મકાઈ, સૂર્યમુખી અને સોયાબીનના મિશ્રણમાંથી બનેલા આ તેલમાં ઓમેગા-6 ફેટી એસિડની માત્રા વધુ હોય છે, જે શરીરમાં બળતરા પેદા કરી શકે છે. આ સિવાય તેના વધુ પડતા સેવનથી હાર્ટમાં બ્લોકેજ થવાનો ભય પણ રહે છે.
નાળિયેર તેલ
નાળિયેર તેલ કેટલાક સ્વાસ્થ્ય લાભો પણ આપી શકે છે, પરંતુ તેનો સૌથી ખરાબ મુદ્દો એ છે કે તે એલડીએલ કોલેસ્ટ્રોલના સ્તરને વધારીને હૃદય રોગનું કારણ બની શકે છે. આ ઉપરાંત તે સ્થૂળતાને પણ વધારી શકે છે. કારણ કે એક રિપોર્ટ અનુસાર તેની એક ચમચીમાં લગભગ 120 કેલરી અને 14 ગ્રામ ચરબી હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech