રોકડ માટે એટીએમ નો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે એક ખરાબ સમાચાર છે. આવા ગ્રાહકોને આગામી દિવસોમાં આંચકાનો સામનો કરવો પડી શકે છે અને એટીએમ માંથી રોકડ ઉપાડવી મોંઘી બની શકે છે. તેનું કારણ એ છે કે એટીએમ ઓપરેટરો ચાર્જ વધારવાની માંગ કરી રહ્યા છે.ઇકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, એટીએમ ઓપરેટર્સે ઇન્ટરચેન્જ ફી વધારવાની માંગ કરી છે. આ માટે તેણે રિઝર્વ બેંક અને નેશનલ પેમેન્ટસ કોર્પેારેશન ઓફ ઈન્ડિયા એટલે કે એનપીસીઆઈનો સંપર્ક કર્યેા છે. ઇન્ટરચેન્જ ફી એ ફી છે જે ગ્રાહકો એટીએમમાંથી રોકડ ઉપાડ માટે ચૂકવે છે. જો આ ચાર્જ વધશે તો ગ્રાહકોને એટીએમ માંથી રોકડ ઉપાડવા માટે વધુ ફી ચૂકવવી પડશે.
કન્ફેડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રી એટલે કે, એટીએમ ઓપરેટર્સની સંસ્થા, સીએટીએમઆઈનું કહેવું છે કે આ ચાર્જ (ઈન્ટરચેન્જ ફી) પ્રતિ ટ્રાન્ઝેકશન મહત્તમ ૨૩ પિયા સુધી વધારવો જોઈએ. એટીએમ નિર્માતા એજીએસ ટેકનોલોજીસ કહે છે કે તેણે ઇન્ટરચેન્જ ફી વધારીને . ૨૧ પ્રતિ ટ્રાન્ઝેકશન કરવાની માંગ કરી છે, પરંતુ અન્ય ઘણા ઓપરેટરોએ . ૨૩ પ્રતિ ટ્રાન્ઝેકશનની માંગ કરી છે.
ઇન્ટરચેન્જ ફી છેલ્લે ૨૦૨૧માં વધારવામાં આવી હતી. તે સમયે ઇન્ટરચેન્જ ફી ૧૫ પિયા પ્રતિ ટ્રાન્ઝેકશનથી વધારીને ૧૭ પિયા કરવામાં આવી હતી. તે પછી ચાર્જ માત્ર ૧૭ પિયા છે. ઓપરેટરોનું કહેવું છે કે અગાઉના ચાર્જમાં ફેરફાર લાંબા અંતર બાદ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે વિલબં થશે નહીં. તેમનું માનવું છે કે હવે પરિવર્તન જલ્દી જ શકય છે.
ઇન્ટરચેન્જ ફી એક બેંક દ્રારા બીજી બેંકને ચૂકવવામાં આવે છે. ધારો કે એટીએમ કાર્ડ એસબીઆઈનું છે અને એટીએમ મશીન પીએનબીનું છે. આવી સ્થિતિમાં, ટ્રાન્ઝેકશન માટે એસબીઆઈ દ્રારા પીએનબીને ઇન્ટરચેન્જ ફી ચૂકવવામાં આવશે. બેંકો આખરે આ ચાર્જનો બોજ ગ્રાહકોને ટ્રાન્સફર કરે છ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech