લીલિયાના ખારા ગામે મકાનમાંથી રોકડ-દાગીનાની ચોરી

  • April 03, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ખારા ગામમાં એક રહેણાંક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી ૬૭ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરતા નાનકડા ગામમાં ફફડાટ ફેલાયો હતો.
આ અંગે લીલીયા પોલીસ મથક ખાતે ખારા ગામે રહેતા ભાનુશંકરભાઈ છગનભાઇ જોષી(ઉ.વ.૫૯) એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના રહેણાંક મકાનમાં ગત ૨૭ માર્ચથી ૨૮ માર્ચ સાંજના ચાર વાગ્યા સુધીના સમય દરમિયાન મકાનના મેઈન દરવાજાનો નકુચો તોડી ગેર કાયદેસર રીતે ઘર વખરીનો સર સામાન વેર વિખેર કરી મકાનના બીજા માળ પર રાખેલ કબાટની તિજોરીનો લોક તોડી અને સોના ચાંદીના દાગીનાઓ જેની કિંમત રૂ.૪૨,૨૦૦ તેમજ અલગ-અલગ દરની ચલણી નોટ રોકડ મળી રૂ.૨૫૦૦૦ સહીત કુલ ૬૭,૨૦૦ ના મુદ્દામાલની ચોરી થઇ હતી.આ બનાવને પગલે નાનકડા ગામ ફફડાટ ફેલાયો હતો. આ ચોરીના બનાવને ધ્યાને રાખી પોલીસે તપાસ શરૂ કરી હતી.આ ઘટનાની તપાસ એસ.આર.ગોહિલ,પીએસઆઇ લીલીયા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application