બગસરામાં મોટા મુંજીયાસારમાં પંચાયતે વગર મંજૂરીએ ૩ હજાર વૃક્ષનું છેદન કરતા મામલો હાઇકોર્ટમાં

  • February 22, 2025 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજ કાલ ચર્ચા રહેલું મોટા મૂંજીયાસર ગામ લ કાંડ બાદ સરપચં દ્રારા વૃક્ષનું બેફામ છેદન કરી ત્રણ લાખની  સરપચં જયસુખભાઈ ખેતાણી દ્રારા ઉચાપત કરી હોવાનું સામે આવતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.બગસરા તાલુકાના મોટા મુંજીયાસરમાં ગત વર્ષે ગ્રામ પંચાયતએ ગૌવચર જમીન માથી વૃક્ષો હટાવવાનો  ઠરાવ કર્યેા હતો. પરંતુ આ માટે કોઈ મંજૂરી ન લેવાયેલી હોય અને ટીડીઓ અને ડેપ્યુટી ડીડીઓની તપાસમાં ગરરીતિ  અને નિયમ ભગં થયો હોવાનો રિપોર્ટ છતાં સરપચં સામે કોઈ કાર્યવાહી ન થતા મામલો હાઇકોર્ટમાં ગયો હતો. જેથી કલેકટરને આગળની કાર્યવાહી કરવા હાઇકોર્ટ દ્રારા આદેશ આપ્યો છે.
 આ બારામાં બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામના પૂર્વ સરપચં રમેશભાઈ કાળુભાઈ સતાશિયા ગત વર્ષે જુદા જુદા સમયે વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. ગ્રામ પંચાયતે સામાન્ય સભામાં તારીખ ૨૪ –૧૧ – ૨૩ ના રોજ ઠરાવ કરી ગૌવચરમાંથી ગાંડો બાવળ, ગોરડ બાવળ અને જાડી જાખરા દૂર કરવા નિર્ણય કર્યેા હતો. આ માટે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવાની હતી. જોકે આવી કોઈ મંજૂરી ન લેવાઈ હતી અને બાવળની સાથે દેશીકુળના પણ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. કપાયેલા વૃક્ષોના થડ આજે પણ સાબિતી પ ઊભા છે. નિયમ મુજબ કલેકટર અને વનતંત્રની મંજૂરી મળ્યા પછી જ આ વૃક્ષો કાપી શકાય અને તેના લાકડાના વેચાણની ૫૦% રકમ સરકારમાં જમા થાય છે,યારે ૫૦% ગ્રામ પંચાયતને મળે છે. ગ્રામ પંચાયતને આવી કોઈ રકમ આપવામાં ન આવી હતી. જેની પૂર્વ સરપચં રમેશભાઈ દ્રારા આ અંગે જુદા જુદા સ્થળે રજૂઆત કરી હતી. અને ડેપ્યુટી ડીડીઓ તથા ટીડીઓની તપાસ અંગે સરપંચના નિયમભગં કર્યા હોવાનું સાબિત થયું હોવા છતાં કોઈ પગલાં ન લેવાયા હતા. અને આ સમગ્ર મામલો હાઇકોર્ટમાં લઈ જવાયો હતો. ત્યારે હાઇકોર્ટે આ સમગ્ર તપાસ જિલ્લ ા કલેકટરને અંગે આગળ પ્રોસેડિંગ કરવાનું હત્પકમ કર્યેા હતો. પૂર્વ સરપચં દ્રારા સરપચં સામે ત્રણ લાખના હંગામી ઉચાપતની રાવ કરવામાં આવી હતી.
ટીડીઓએ સરપંચને દૂર કરવા માટે કાર્યવાહી કરી હતી  ગત તારીખ ૨૨૧૧૨૦૨૪ ના રોજ ડેપ્યુટી ડીડીઓની  તપાસનો રિપોર્ટ કરી મંજૂરી વગર બે ગૌવચર અને એક ગામ તળમાં ગેરકાયદેસર વૃક્ષો કાપીને સરપચં જયશુખ ખેતાણીએ પોતાની સતાનો દૂર ઉપયોગ કરી બેફામ વૃક્ષોને કાપી નાખ્યા હોવાનો સ્પષ્ટ્ર અભિપ્રાય આપ્યો હતો.તેમ છતાં સરપચં ઉપર કોઈ કાર્યવાહી કરાઈ ના હતી. તેમ છતાં પૂર્વ સરપંચએ તારીખ ૧૨–૧૨– ૨૪ ના રોજ મામલતદારને  ગેરકાયદેસર વૃક્ષો કપાયા હોવાનું જણાવી આ અંગે સૌરાષ્ટ્ર્ર વૃક્ષ છેદન  અધિનિયમ ૧૯૫૧ મુજબ કાર્યવાહી કરી સૂચના અપાઇ હતી. પરંતુ મામલતદાર એ પણ કોઈ પગલાં ન લીધા.
યારે હવે પૂર્વ સરપચં દ્રારા કહેવામાં આવી રહ્યું છે કે ડીડીઓના નિયમનો ઘોળીને પીઈ ગયેલા સરપંચએ અઢી થી ત્રણ લાખ જેટલી રકમ ગ્રામ પંચાયતમાં જમા ના કરાવી અને ઉચાપત થયાંનું જણાવ્યું હતું. યારે હવે આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં જતા કોર્ટ દ્રારા હત્પકમ કરી કલેકટરને કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે.
હવે મામલતદાર અને ડીડીઓ અને ટીડીઓના આધારે આગળનો પ્રોસેડિંગ થયું છે કેમ તેના ઉપર હવે હાઇકોર્ટના હત્પકમનું કલેકટરે જાતે ઘટતી કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવામાં આવે તેવો કોર્ટ દ્રારા હત્પકમ કરાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application