પાણીપુરી અવા ગોલગપ્પા દેશભરમાં ઉત્સાહી ખાવામાં આવે છે. કર્ણાટકી આ અંગે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં, કર્ણાટકમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસઆઈ) એ ગોલગપ્પાના નમૂનાઓનું પરીક્ષણ કર્યું હતું. તેમાંી ૨૨ ટકા સેમ્પલ સેફ્ટી સ્ટાન્ડર્ડને પૂર્ણ કરતા ન હતા, જ્યારે ૪૧ સેમ્પલમાં કેન્સર પેદા કરનારા કાર્સિનોજેનિક તત્વો જોવા મળ્યા હતા.
ફૂડ સેફ્ટી અધિકારીઓના રિપોર્ટ અનુસાર, ૨૬૦માંી ૪૧ સેમ્પલમાં કૃત્રિમ રંગો અને કેન્સર પેદા કરતા પર્દાો મળી આવ્યા હતા. બાકીના ૧૮ સેમ્પલ એટલા ખરાબ હતા કે તેને ખાવા યોગ્ય ગણી શકાય નહીં. ફૂડ સેફ્ટી કમિશનર શ્રીનિવાસ કે. તેમણે કહ્યું કે રસ્તાઓ પર વેચાતા ગોલગપ્પાની ગુણવત્તા અંગે લાંબા સમયી ફરિયાદો મળી રહી છે. આ અંગે ગોલગપ્પાની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિભાગે રાજ્યભરમાં રસ્તાની બાજુની દુકાનોી લઈને મોટી રેસ્ટોરન્ટમાં ગોલગપ્પાના નમૂના એકત્ર કર્યા હતા.
તપાસ દરમિયાન ઘણા સેમ્પલ વાસી મળી આવ્યા હતા. ઉનાળામાં આવા ખોરાક ઝડપી બગડે છે. છતાં, લોકોને દુકાનો પર ખવડાવવામાં આવી રહ્યા હતા. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે અગાઉ ચેતવણી આપી હતી કે જો કોઈ દુકાનદાર ખોરાકમાં હાનિકારક રસાયણોનો ઉપયોગ કરતો જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાવે કહ્યું કે, અમે વધુ ખાદ્ય પર્દાોની તપાસ કરીશું કે તેમાં કયા પ્રકારના રંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ કેવા પ્રકારનો ખોરાક ખાઈ રહ્યા છે અને તેમાં શું ભેળવવામાં આવી રહ્યું છે તેનું ધ્યાન રાખો. ફૂડ સેફ્ટી કમિશનર શ્રીનિવાસના જણાવ્યા અનુસાર, ગોલગપ્પાના ઘણા સેમ્પલમાં બ્રિલિયન્ટ બ્લુ, સનસેટ યલો અને ટર્ટાઝીન જેવા કેમિકલ મળી આવ્યા હતા. આનાી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઈ શકે છે. રોડામાઇન-બીનો ઉપયોગ શેરી ખોરાકમાં કૃત્રિમ રંગ માટે ાય છે. કર્ણાટક સરકારે રોડામાઇન-બી પર પ્રતિબંધ મૂક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech