કેનેડા વિદેશી વિધાર્થીઓની પરમિટ ૩૫ ટકા સુધી ઘટાડશે

  • January 23, 2024 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેનેડામાં ભણવાનું સપનું જોતા ભારતીય વિધાર્થીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. કેનેડાની ટ્રુડો સરકારે સ્ટુડન્ટ વિઝા પરમિટમાં ૩૫ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે જાહેરાત કરી હતી કે કેનેડા વિદેશી વિધાર્થીઓની પરમિટ ૩૫ ટકા ઘટાડશે. આ કેપ ૨૦૨૪ માં પરમિટની સંખ્યા ઘટાડીને ૩૬૪,૦૦૦ કરશે. આ વર્ષના અંતમાં ૨૦૨૫ની મર્યાદાની ફરી સમીક્ષા કરવામાં આવશે.મિલરે કહ્યું કે આની અસર તે સંસ્થાઓ પર પડશે જે વિદેશથી આવતા વિધાર્થીઓ પાસેથી વધુ ફી વસૂલે છે અને વિદેશી વિધાર્થીઓની સંખ્યામાં સતત વધારો કરી રહી છે. જેમાં માસ્ટર્સ અને પીએચડી માટે અરજી કરનારા વિધાર્થીઓને આ મર્યાદામાંથી મુકિત આપવામાં આવશે.

વિદેશી વિધાર્થીઓની વધતી સંખ્યાને કારણે કેનેડા સરકારને કેનેડાના ઘણા શહેરોમાં ગેસ્ટ હાઉસની અછતનો સામનો કરવો પડો છે. કેનેડા હાલમાં આવાસની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યું છે. ૨૦૨૨ માં ૮૦૦,૦૦૦ થી વધુ આંતરરાષ્ટ્ર્રીય વિધાર્થીઓને અસ્થાયી અભ્યાસ વિઝા આપવામાં આવ્યા હતા.મિલરે છેલ્લે કહ્યું હતું કે ૨૦૨૩નો આંકડો ૧૦ વર્ષ પહેલાં જે સ્વીકારવામાં આવ્યો હતો તેનાથી ત્રણ ગણો વધુ હશે.

મિલરે એવો આક્ષેપ કર્યેા હતો કે અમુક સંસ્થાઓને વિદેશી વિધાર્થીઓ પાસેથી ઐંચી ટુશન ફી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે કારણ કે તેમની પાસે સ્થાનિક વિધાર્થીઓ માટે ટુશન વધારવા માટે ઓછી છૂટ છે.આથી વિદેશી વિધાર્થીઓની સંખ્યા પર કાપ મૂકવાનો વિચાર મહિનાઓથી ચાલી રહ્યો છે. મિલરે ભાર મૂકયો હતો કે આ મર્યાદાનો હેતુ વિદેશી વિધાર્થીઓને સજા કરવાનો કે આવતા રોકવાનો નથી પરંતુ અમુક ખાનગી સંસ્થાઓ ટુશનના ભાવ વધારીને જે રીતે વિદેશી વિધાર્થીઓને ખંખેરે છે તેને રોકવાનો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application