દેશમાં કામગીરીના અસરકારક સંચાલન માટે જરૂરી કેનેડીયન કર્મચારીઓની અછતને કારણે કેનેડાએ સમગ્ર ભારતમાં તેના ડિપ્લોમેટિક મિશનમાં ફરજ પર હાજર ભારતીય સ્ટાફ સભ્યોની સંખ્યામાં ઘટાડો કર્યેા છે. ગયા વર્ષે ભારતે ૪૧ કેનેડિયન રાજદ્રારીઓને હાંકી કાઢા હતા તેના જવાબમાં આ પગલું આવ્યું છે, જેનો હેતુ રાજદ્રારી હાજરીમાં સમાનતા હાંસલ કરવાનો હતો. પરિણામે, કેનેડાએ મુંબઈ, ચંદીગઢ અને બેંગલુમાં તેના કોન્સ્યુલેટસમાં વ્યકિતગત કામગીરી બધં કરી દીધી હતી.
કર્મચારીઓની છટણીની ચોક્કસ સંખ્યા અજ્ઞાત છે, જો કે, આ આંકડો ૧૦૦ કરતાં ઓછો હોવાનું માનવામાં આવે છે. સમાચારની પુષ્ટ્રિ કરતા, હાઈ કમિશનના એક મીડિયા રિલેશન ઓફિસરે ગયા વર્ષે કેનેડિયન સ્ટાફની વિદાયને ટાંકીને આ નિર્ણયની જરિયાત પર ખેદ વ્યકત કર્યેા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ભારતમાં અમારા સ્થાનિક સ્ટાફનો તેમની સેવા અને સમર્પણ માટે હૃદયપૂર્વક આભાર વ્યકત કરી છીએ. કેનેડા ભારતમાં કેનેડિયનોને આવશ્યક સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારતમાં કેનેડાના વિઝા અરજી કેન્દ્રો સામાન્ય રીતે કાર્યરત છે.
રાજદ્રારી તણાવ છતાં, કેનેડા ભારતીય નાગરિકો સાથેના તેના કાયમી સંબંધો પર ભાર મૂકે છે અને તેમને દેશમાં મુલાકાત લેવા, કામ કરવા, અભ્યાસ કરવા અથવા કાયમી ધોરણે રહેવા માટે આવકારે છે. ભારતે કેનેડા કોન્સ્યુલર સેવાઓ બધં કરવાની અપેક્ષા નહોતી રાખી, કારણ કે રાજદ્રારીઓને હાંકી કાઢવાનો તેનો નિર્ણય માત્ર દિલ્હી અને ઓટાવામાં સંબંધિત હાઈ કમિશન વચ્ચે રાજદ્રારી સમાનતા હાંસલ કરવાનો હતો.
ભારત અને કેનેડા વચ્ચે રાજદ્રારી અણબનાવ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપોથી ઉદભવ્યો હતો કે વાનકુવર વિસ્તારમાં ખાલિસ્તાન નેતા હરદીપ નિરની હત્યામાં ભારત સરકારના અધિકારીઓ સામેલ હતા. જવાબમાં, ભારત સરકારે કેનેડિયન રાજદ્રારીઓ પર તેની આંતરિક બાબતોમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો. ટ્રુડોએ કેનેડિયન બાબતોમાં વિદેશી હસ્તક્ષેપના આરોપોની તપાસ કરતી સમિતિ સમક્ષ નિર કેસ અંગેની તેમની ચિંતાઓને પુનરોચ્ચાર કરી હતી. તેમણે કેનેડિયનોના અધિકારો અને સ્વતંત્રતાઓનું રક્ષણ કરવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટ્રિ કરી, અગાઉની કન્ઝર્વેટિવ સરકારની વર્તમાન ભારત સરકાર સાથેના નજીકના સંબંધો માટે ટીકા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech