રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન સેન્ટર શરૂ થતા દર્દીઓને માત્ર રૂ.૧૦૦૦માં પ્લેઇન અને કોન્ટ્રાસ બંને રિપોર્ટ એક જ ચાર્જમાં કરી આપવામાં આવશે જેનાથી હોસ્પિટલમાં આવતા દર્દીઓને અનેકગણી આર્થિક રાહત મળી રહેશે . જયારે બીપીએલ કાર્ડમાં પાત્રતા ધરાવતા અને આયુષ્માન કાર્ડ ધારકોને ની:શુલ્ક નિદાન થશે તેમ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ આજકાલ સાથેની વાતચીતમા જણાવ્યું હતું.
પીડીયુ સિવિલ હોસ્પિટલમાં એમ.આર.આઈ. મશીન બાદ અદ્યતન ટેક્ધોલોજી સાથેનું રૂ.૬ કરોડથી વધુની રકમનું સીટી સ્કેન મશીન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટ એઇમ્સ અને ઝનાના બિલ્ડિંગ સહિતના લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રકલ્પોમાં સીટી સ્કેન સેન્ટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે વડાપ્રધાનના લોકાર્પણ બાદ પણ દર્દીઓના નિદાન માટે સીટી સ્કેન મશીન સિવિલ હોસ્પિટલનું તંત્ર ૧૦થી વધુ દિવસ સુધી શરૂ કરી ન શકતા દર્દીઓને ખાનગી ડાયગ્નોસિસ સેન્ટરમાં વધુ પૈસા ચૂકવી નિદાન કરાવવું પડી રહ્યું હતું. આજકાલ દ્વારા દર્દીઓને પડી રહેલી મુશ્કેલી અને સિવિલ તંત્રની ધીમી ગતિની કામગીરી અંગેનો અખબારી અહેવાલ પ્રસિધ્ધ કર્યાના ગણતરીના દિવસોમાં જ સિવિલ હોસ્પિટલ તંત્રએ સીટી સ્કેન મશીન શરૂ કરવા માટેની બાકી તૈયારીઓ પૂર્ણ કરી રેડીયોલોજીસ્ટ ડો. અંજના પટેલની દેખરેખ હેઠળ સીટી સ્કેન સેન્ટર ૨૪૭ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને ૨૦થી વધુ દર્દીઓનું નિદાન પણ કરવામાં આવ્યું છે.
સિવિલમાં એમ.આર.આઈ. અને સીટી સ્કેન મશીન માટે માગેલી વર્ષોથી દરખાસ્ત રાજ્યના આરોગ્ય વિભાગમાં સ્કેન થઇ રહી હતી. આ માટે લાખો દર્દીઓના હિતમાં આજકાલ દ્વારા અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરવા ઉપરાંત તત્કાલીન આરોગ્ય સચિવ, આરોગ્ય મંત્રીને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી હતી. જે બાદ આ પ્રોસીઝર આગળ વધ્યાના ગણતરીના દિવસોમાં સૌ પ્રથમ સિવીલને એમ.આર.આઈ. મશીન મળ્યું હતું અને બાદમાં સીટી સ્કેન મશીન મજુર ફાળવવામાં આવતા સિવિલમાં આવતા દર્દીઓને હવે ખાનગી ડાયગ્નોસિસ સેન્ટરમાં ખિસ્સાફાળ લૂંટનો ભોગ નહીં બનવું પડે અને હોસ્પિટલમાં જ રાહતદરે નિદાન થઇ શકશે એક સરખો ચાર્જ રાખવા પાછળનું લોજીક ખાનગી કેટલાક ટ્રસ્ટ સંચાલિત ડાયગ્નોસિસ સેન્ટરમાં પ્લેઇન સીટી માટે રૂ.૮૦૦ થી ૯૦૦ ની રકમ લેવામાં આવી રહી છે જયારે કોન્ટ્રાસ (એબ્ડોમલ) કોઈ પણ ઓર્ગનનું સીટી કરાવવાનું હોઈ ત્યારે ૧૨૦૦ થી ૭૦૦૦ કે તેથી વધુ સુધીનો ચાર્જ વસુલવામાં આવતો હોઈ છે. જયારે સિવિલ હોસ્પિટલમાં તબીબ દવારા કોઈપણ ઓર્ગન માટેનું સીટી સ્કેન કરાવવામાં આવે તો તેનો પણ રૂ.૧૦૦૦ જ ચાર્જ ફિક્સ રાખવામાં આવ્યો છે. (ઉદા. ખાનગી ડાયગ્નોસિસ સેન્ટરમાં પ્લેઇન સીટીના રૂ.૮૦૦ કે ૯૦૦ ચાર્જ લેવામાં આવ્યા બાદ વધુ નિદાન માટે કોન્ટ્રાસ સીટી કરાવવાની જરૂર પડે તો વધારાનો ચાર્જ વસુલવામાં આવે છે. ત્યારે દર્દીને પ્લેઇન સીટી ઉપરાંત કોન્ટ્રાસ માટેનો ચાર્જ મળી ડબલ રકમ ચૂકવવી પડે છે. જયારે સિવિલમાં પ્લેઇન અને કોન્ટ્રાસ માટે દર્દીઓને ફાયદો થાય એ માટે સરકારની સૂચના મુજબ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech