કેન્દ્રીય મંત્રી અમિત શાહને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મળવા ગયા છે. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક સોમવારે સાંજે વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાય તેવી શક્યતા છે.
ત્યારે અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચેની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને બંને નેતાઓ વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે. આ સિવાય એવી અટકળો છે કે અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે તે અંગે વાતચીત થવાની સંભાવના છે.
કોણ બનશે ભાજપના અધ્યક્ષ?
મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહ બાદ હવે તમામની નજર ભાજપના આગામી અધ્યક્ષ કોણ હશે તેના પર ટકેલી છે કારણકે પાર્ટીના વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
યુપીમાં કોને કેટલી સીટો મળી?
યુપીમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો પડ્યો છે. રાજ્યની 80 સીટોમાંથી પૂર્વ સીએમ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ 37 સીટો જીતી છે. આ સાથે જ ભાજપને 33થી સંતોષ માનવો પડ્યો હતો. આ સિવાય ચૂંટણીમાં સપા સાથે લડેલી કોંગ્રેસે 6 બેઠકો જીતી છે.
2014 પછી આ પહેલીવાર છે જ્યારે ભાજપ 272ના બહુમતીના આંકડાને પાર કરી શકી નથી. આ કારણે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં સામેલ પક્ષો પર ભાજપની નિર્ભરતા વધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech