કલ્યાણપુર તાલુકામાં ૧૦૬ ધાર્મિક સ્થળો પર ચાલશે બુલડોઝર

  • March 03, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના કડક વલણના પગલે કલ્યાણપુર તાલુકાના ૩૭ જેટલા ગામમાં ૭ દરગાહ, ૨ મસ્જીદ, ૨૨ શિવ મંદિર, મહાપ્રભુજીની બેઠક સહિત ૧૦૬ ધાર્મિક સ્થાનોને દૂર કરવા બીજી નોટિસ



દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા અને દ્વારકામાં તાજેતરમાં મેગા ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી અને અનેક બિન અધિકૃત ધાર્મિક, રહેણાંક તેમજ વ્યવસાયિક બાંધકામ હટાવી કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે કલ્યાણપુર તાલુકામાં ધાર્મિક સ્થળો હટાવવા નોટિસ અપાઈ છે,થોડાક મહિના પહેલા પણ દબાણકારોને પ્રથમ નોટિસ પાઠવવામાં આવી હતી તેમજ હવે બીજી વાર નોટિસ અપાતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કલ્યાણપુર મામલતદાર દ્વારા કલ્યાણપુર તાલુકામાં આવેલા ૧૦૬ જેટલા ધાર્મિક સ્થળોના કબાણોને દૂર કરવા માટે સૌ પ્રથમ નોટિસ તા. ૧૩.૯.૨૪ ના રોજ આપવામાં આપવામાં આવી હતી અને ત્યાર બાદ પણ ધાર્મિક સ્થળના સંચાલકોએ ધાર્મિક સ્થળોના માલિકીના પુરાવાઓ રજૂ ન કરી, સ્વેચ્છાપૂર્વક દબાણો દૂર ન કરતાં બીજી વખત નોટિસ આપવામાં આવી છે. આમ તમામ ધાર્મિક સ્થાનોના પુરાવા રજ કરવા અથવા દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા બીજીવાર નોટિસ આપવામાં આવતાં આ અતિ સંવેદનશીલ મુદ્દાએ કલ્યાણપુર પંથકમાં ભારે ઉત્તેજતાં જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application